For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીની હાલત નાજુક, ભાગવત મળવા માટે પહોંચ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે સવારે એમ્સની મુલાકાત લઈને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને જોવા માટે પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે સવારે એમ્સની મુલાકાત લઈને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને જોવા માટે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને શનિવાર પહેલા એઇમ્સમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જેટલીની તબિયત વિશે જાણવા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સહિત ઘણા નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

અરુણ જેટલીની હાલત નાજુક

અરુણ જેટલીની હાલત નાજુક

દેશના પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીની હાલત ગંભીર છે, તેમને 9 ઓગસ્ટે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ) માં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે, હાલમાં જેટલીને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, તેમના સારવારની સાથે, લોકો તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત એમ્સ પહોંચ્યા

શનિવારે અરુણ જેટલીની વહેલી રિકવરી માટે હવન કરવામાં આવ્યું હતું, વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ટ્વિટ કર્યું હતું કે, 'દેશના જાણીતા ન્યાયશાસ્ત્રી, રાજકારણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી જલ્દી સ્વસ્થ થાય તેના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીયે છે.

એમ્સ તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું

એમ્સ તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું

આ પહેલા શુક્રવારે એઈમ્સ દ્વારા સ્ટેન્ટમેન્ટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં જેટલીને હેમોડાયનેમિકલી સ્થિર હોવાનું કહેવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે દર્દીનું બ્લડ પ્રેશર અને પલ્સ બરાબર કામ કરે છે, જોકે ત્યારપછી એમ્સ ઘ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઇ છે

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણા મંત્રી રહી ચૂકેલા 67 વર્ષિય અરુણ જેટલીએ લોકસભાની ચૂંટણીઓ પછી તેમની ખરાબ તબિયતને ટાંકીને એનડીએ -2 માં કેબિનેટમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તે સારવાર માટે દેશની બહાર ગયા હતા, તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ.

English summary
RSS Chief Mohan Bhagwat leaves from AIIMS to meet Arun Jaitley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X