RTI કાર્યકર્તાઓએ રાજ્યપાલને કહ્યું, 'મુખ્યમંત્રી ડરાવવાનું કામ કરે છે'
પણજી, 9 જુલાઇ : માહિતી અધિકાર કાર્યકર્તાઓના એક સમૂહે અત્રે મંગળવારે ગોવાના રાજ્યપાલ ભારત વીર વાંચ્છુને અરજી આપીને મુખ્યમંત્રી મનોહર પર્રિકર પર આરટીઆઇ અધિનિયમ પર કતરાવવાનો પ્રયાસ અને આવેદકોને ભયભીત કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજભવનમાં વાંચ્છુ સાથે મુલાકાત કરીને 11 એક્ટિવિસ્ટોના આ પ્રતિનિધિમંડળે પ્રવક્તા એરિએસ રોડ્રિગ્સે પત્રકારોને જણાવ્યું કે 'દેખરેખ વિભાગથી શરૂઆત કરીને સરકાર વિભાગોને આરટીઆઇના એક્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરાવમાં આવી રહ્યો છે.'
રોડ્રિગ્સે એ પણ કહ્યું કે ગોવા સરકારે ઘણું બધું છૂપાવીને રાખ્યું છે અને આરટીઆઇ અધિનિયમને નબળો બનાવવા અને આરટીઆઇ કાર્યકર્તાઓને ભયભીત કરવાનો ઉદ્દેશ્ય માહિતી માંગવાની પ્રક્રિયાને ખતમ કરવાનો છે. ગોવાના મુખ્યમંત્રી અને આરટીઆઇ કાર્યકર્તાઓની વચ્ચે પાછલા ઘણા મહિનાઓથી અનબન છે.
હવે પાર્રિકરે એટલે સુધી કહી દીધું છે કે જે કાર્યકર્તા આરટીઆઇ માહિતી પર જાણીતા સ્રોતો દ્વારા થતી કમાણીથી વધારે ખર્ચ કરી રહ્યા છે તો તેમની જાણકારી આવક વિભાગને સોંપવામાં આવે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ્સે આરોપ લગાવ્યો કે વિપક્ષમાં રહીને સૌથી વધારે આ એક્ટનો ઉપયોગ કરનાર પાર્રિકર હવે અરજદારોને ડરાવવા અને ધમકાવવામાં લાગ્યા છે. ગોવાના રાજ્યપાલને આપવામાં આવેલ અરજીમાં કહેવાયું છે મુખ્યંત્રીએ માહિતી માગનાર એક્ટિવીસ્ટની સૂચિ તૈયાર કરવાનું જણાવ્યું છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
