રશ્દીની આરોપ, મમતાએ કોલકતા આવતા અટકાવ્યા

salman rushdie
કોલકતા, 1 ફેબ્રુઆરીઃ જાણીતા લેખક સલમાન રશ્દીએ આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશ પર પોલીસે તેમને કોલકતા આવતા અટકાવ્યા હતા.

ટ્વિટર પર રશ્દીએ કહ્યું છે કે, કોલકતા બુક ફેરના આયોજક ખોટુ બોલી રહ્યાં છે કે તેમણે મને બોલાવ્યા નહોતા. રશ્દીએ દાવો કર્યો છે કે, તેમની પાસે ઇમેલ અને પ્લેનની ટિકિટ પણ છે, જે તેમને કોલકતા આવવા માટે મોકલવામાં આવ્યો હતો.

રશ્દીએ કહ્યું કે, તેમને પોલીસે મૈત્રીપૂર્ણ સલાહ નહીં પરંતુ ધમકી આપી હતી કે જો તે કોલકતા આવે તો આગામી પ્લેનથી તેમને પરત મોકલવામાં આવશે.

સલમાન રશ્દીએ ટ્વિટ કર્યું છે, 'એ મજાક છે સૌગત રૉય. મને કોઇએ કોલકતાથી દૂર રહેવાની મૈત્રીપૂર્ણ સલાહ આપવામાં આવી નહોતી. મને કહેવામાં આવ્યું હતું કે પોલીસ આગામી વિમાનમાં મને પરત મોકલી દેશે. તથ્ય એ છે કે મુખ્યમંત્રી મમતા બેનરજી પોલીસને મને આવતો રોકવા માટે કહેવાયું હતું.'

નોંધનીય છે કે રશ્દી 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' ફિલ્મના પ્રમોશન માટે કોલકતા બુક ફેયરમાં આવવાના હતા, પરંતુ અણીના સમયે આયોજકોએ તેમને આવવાની ના પાડી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X