સબરીમાલાઃ શ્રદ્ધાળુઓની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર, સીએમ નિવાસ બહાર ભીડ એકત્ર
કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે 100થી વધુ શ્રદ્ધાળુની ધરપકડ બાદ કેરળના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયુ છે.
કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે 100થી વધુ શ્રદ્ધાળુની ધરપકડ બાદ કેરળના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયુ છે. સબરીમાલા કર્મા સમિતિના કાર્યકર્તા પોલિસ સ્ટેશનોની બહાર 'નામ જપા' (મંત્રોનું ઉચ્ચારણ) વિરોધ કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકોનો સમૂહ ક્લિફ હાઉસ, તિરુવનંતપુરમ સ્થિત મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના સરકારી નિવાસનો ઘેરાવ કરવા પણ જઈ પહોંચ્યા છે.

આગળ વધતા અટકાવાયા
જો કે પોલિસે તેમને નાંતેનકોડમાં આગળ વધતા અટકાવી લીધા હતા. સમાચાર અનુસાર ભાજપ નેતાઓનું એક દળ કેરળના મંત્રી સથાશિવમ સાથે મુલાકાત કરશે જ્યારે આરએસએસ સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ પણ આજે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યુ છે. વળી, કોંગ્રેસે કહ્યુ છે કે કેરળ સરકારે સુરક્ષાના નામ પર આતંકનો માહોલ બનાવીને રાખ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી
તમને જણાવી દઈએ કે પોલિસે રવિવારે સન્નીધામમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી જ્યારે તે મંદિરની બહાર જમા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદથી જ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ ગયુ છે અને કેરળ સરકાર સામે શ્રદ્ધાળુઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. સુરક્ષા કારણોસર નિલક્કલથી આવનારા રસ્તાઓ પર રાતે 8 વાગ્યાથી જ બસો અટકાવી દેવામાં આવી છે અને મંદિર આસપાસ પોલિસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે.

800 વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓનો પ્રવેશ કરવાનો આદેશ આપ્યા હતા. આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ નહિ આપવાના નિયમને છેલ્લા 800 વર્ષોથી માનવામાં આવી રહ્યો હતો. સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
