સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો
કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટી ગયો છે.
કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટી ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સબરીમાલા મંદિરના દરવાજા બધી મહિલાઓ માટે ખુલી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદા દરમિયાન ઘણી મહત્વની વાતો કહી.

સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ
1. સબરીમાલા મંદિર મામલે પાંચ જજોની બેંચમાંથી 4 જજોએ માન્યુ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી હોવી જોઈએ.
2. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અયપ્પાના અનુયાયી પણ હિંદુ ધર્મનો હિસ્સો છે. સમાજે પોતાના વિચારો બદલવા પડશે અને તેમાં બદલાવ જરૂરી છે. પિતૃસત્તાત્મક વિચારો વચ્ચે ન આવવા જોઈએ. ધર્મના મામલે બધાને બરાબરીનો અધિકાર છે.
3. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે શું બંધારણ મહિલાઓ માટે અપમાનજનક વાતો સ્વીકારી શકે છે? પૂજા માટે મનાઈ, મહિલાની ગરિમાને મનાઈ, શું આ આપણુ બંધારણ સ્વીકારે છે? એક તરફ તમે મહિલાઓને દેવી માનો છો અને બીજી તરફ તમે તેને મંદિરમાં પ્રવેશતા રોકો છો.

જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાનો અભિપ્રાય અલગ
4. જ્યારે આનાથી ઉલટુ જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યુ કે ધાર્મિક પરંપરાઓમાં કોર્ટે દખલ ન દેવી જોઈએ. કોઈને જો ધાર્મિક પ્રથાઓમાં ભરોસો છે તો તેનું સમ્માન થવુ જોઈએ.. આ પ્રથાઓ બંધારણથી સંરક્ષિત છે અને સમાનતાના અધિકારને ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર સાથે જ જોવી જોઈએ. તેમનું કહેવુ હતુ કે કોર્ટનું કામ પ્રથાઓને રદ કરવાનું નથી.
5. જ્યારે જસ્ટીસ નરીમને કહ્યુ કે મંદિરમાં મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર છે. આ મૌલિક અધિકાર છે.
6. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ કે પ્રવેશ અંગે લૈંગિંક આધાર પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર હતો પ્રતિબંધ
7. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનુચ્છેદ 25 મુજબ બધા બરાબર છે. વ્યક્તિગત ગરિમા અલગ વસ્તુ છે પરંતુ સાથે સમાજમાં બધાની ગરિમાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.
8. ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશને આ પ્રતિબંધને પડકારીને સુપ્રીમ કોર્ટમાં જનહત યાચિકા દાખલ કરી હતી. યાચિકામાં એ કહેવામાં આવ્યુ હતુ કે આ પ્રથા લૈંગિક આધાર પર ભેદભાવ કરે છે. યાચિકાકર્તાએ આને ખતમ કરવાની માંગ કરી હતી.
9. કેરળ સરકારે પણ દલીલ કરી હતી કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ, જ્યારે યાચિકાનો વિરોધ કરનારાનું કહેવુ હતુ કે ધાર્મિક બાબતોમાં કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
10. સબરીમાલા મંદિર મામલે ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
