For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ સચિન પાયલટે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યુ

રાજસ્થાનના આખા ઘટનાક્રમ પર સચિન પાયલટે મૌન તોડી ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે વિદ્રોહી નેતા સચિન પાયલટ પર કાર્યવાહી કરીને તેમને બધા પદો પરથી હટાવી દીધા છે. દિલ્લીથી જયપુર ગયેલા રણદીપ સુરજેવાલાએ પાયલટને હટાવવાનુ એલાન કર્યુ. તેમની જગ્યાએ ઓબીસી નેતા ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ દરમિયાન આખા ઘટનાક્રમ પર સચિન પાયલટે મૌન તોડ્યુ છે. કોંગ્રેસમાંથી બહાર કઢાયા બાદ સચિને ટ્વિટ કરીને લખ્યુ કે, સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહિ.

સચિન પાયલટે બાયોડેટા કર્યો ચેન્જ

સચિન પાયલટે બાયોડેટા કર્યો ચેન્જ

કોગ્રેસના પદો પરથી હટાવી લેવાયા બાદ સચિન પાયટલે ટ્વિટર પર પોતાનો બાયોડેટા ચેન્જ કરી લીધો છે. હવે તેમણે લખ્યુ - ટોંકના ધારાસભ્ય, પૂર્વ મંત્રી. આ તરફ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ઑફિસથી સચિન પાયલટની નેમ પ્લેટ હટાવીને ગોવિંદ સિંહ ડોટાસરાની નેમ પ્લેટ લગાવી દીધી છે. પાયલટની પાર્ટીમાંથી સસ્પેન્શનની ઘોષણા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કરી. સુરજેવાલાએ કહ્યુ કે સચિન પાયલટ અને કોંગ્રેસના અમુક મંત્રી અને ધારાસભ્ય સાથી ભાજપના ષડયંત્રમાં ફસાઈને કોંગ્રેસની સરકાર પાડવાની કોશિશમાં શામેલ થઈ ગયા.

દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ

દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ

તેમણે કહ્યુ કે છેલ્લા 72 કલાકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ સચિન પાયલટને, સાથી મંત્રીઓનો, ધારાસભ્યોનો સંપર્ક કરવાની કોશિશ કરી. કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટ સાથે ખુદ અડધો ડઝન વાર વાત કરી. કોંગ્રેસ કાર્ય સમિતિના વરિષ્ઠ સભ્યોએ ડઝનેક વાર વાત કરી. અમે અપીલ કરી કે પાયલટ અને બાકી ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ.

સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર

સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર

આ તરફ મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યો છે. તે રાજ્યપાલને રાજ્યમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવ્યા. રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ અશોક ગહેલોતે કહ્યુ કે આ ષડયંત્ર છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યુ હતુ. આ બધા પાછળ ભાજપનો હાથ છે. સરકારો પહેલા પણ બદલાઈ છે પરંતુ ત્યારે લોકતંત્ર મજબૂત રહેતુ હતુ. રાજીવ ગાંધી પણ હાર્યા છે. પહેલી વાર ધનબળના આધારે સરકાર પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકતંત્ર માટે ખતરો છે. આ આખા ખેલ પાછળનુ મેનેજમેન્ટ ભાજપના હાથમાં હતુ. ત્યાંથી સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હતુ.

રાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છેરાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છે

English summary
Sachin Pilot reaction on twitter after sacked as Rajasthan Deputy cM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X