સાધ્વી પ્રાચીએ દાવો કર્યો, દેશમાં કંઈક મોટું થવાનું છે
હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચી, જે પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં છે, તેણે દાવો કર્યો છે કે દેશમાં કંઈક મોટું થવાનું છે.
હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચી, જે પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં છે, તેણે દાવો કર્યો છે કે દેશમાં કંઈક મોટું થવાનું છે. શનિવારે પત્રકારો સાથે વાત કરતા સાધ્વી પ્રાચીએ દાવો કર્યો હતો કે ભારતમાં જલ્દીથી કંઈક મોટું થવાનું છે. અમરનાથ યાત્રા રોકવા અને કાશ્મીરમાં સુરક્ષા દળોની સંખ્યા વધારવા અંગે તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટે કાશ્મીરમાં ધ્વજ ફરકાવવાની તૈયારી ચાલી રહી છે.
સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા બંધ કરવા પાછળ મોટો હેતુ છે. આ વખતે કાશ્મીરમાં 15 ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવામાં આવશે. કાશ્મીર પછી જ્યારે તેમને આઝમ ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જલ્દીથી સપા સાંસદ આઝમ ખાનને જેલની અંદર બેસાડશે. તેમણે ઉન્નાવ ઘટનાના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર અંગે કહ્યું કે પાર્ટીએ તેમને તાત્કાલિક હાંકી કાઢીને ખૂબ જ સારો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: ભારતીય સેનાએ પાકિસ્તાનને કહ્યું, પોતાના BAT જવાનોની લાશ લઇ જાઓ