Sadhvi Prachi Statement : સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન, મુસ્લિમ મહિલાઓ માટે કહી આ વાત
Sadhvi Prachi Statement : બરેલીમાં સર્કિટ હાઉસમાં પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદની ફાયરબ્રાંડ નેતા સાધ્વી પ્રાચી ઘણા મુદ્દા નિવેદન આપીને વિવાદનો મધપુ઼ડો છંછેડ્યો છે.
બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના ઘરવાપસીના નિવેદન અંગે સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનમાં રહેનારા લોકોના ડીએનએ ટેસ્ટ કરાવી લેવામાં આવે, તો તમામના પૂર્વજ ભગવાન રામ, કૃષ્ણ અને ભોળાનાથ જ મળશે. હવે તો માત્ર એક વાળથી જ ડીએનએ રિપોર્ટ આવી શકે છે.

સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે, જે બહેનો અને દિકરીઓ 50 ડિગ્રી ગરમ બપોરના તાપમાનમાં કાળા કપડા પહેરીને સમય પસાર કરે છે, તેમના માટે ઓપન ઓફર છે. જો તે દીકરીઓ હિંદુ છોકરાઓ સાથે લગ્ન કરે તો ઘણા ફાયદા થશે. તેઓ સુખી જીવન જીવી શકશે. તેઓએ ન તો કાળા કપડામાં રહેવું પડશે અને ન તો ટ્રિપલ તલાક અને હલાલાનો સામનો કરવો પડશે.
સાંઈ પીર-ફકીર છે, ભગવાન નથી
સાધ્વી પ્રાચીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના સાંઈ બાબા પરના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સાંઈ બાબા પીર ફકીર બની શકે છે, પરંતુ ભગવાન ન બની શકે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈને લઈને એકદમ સાચું નિવેદન આપ્યું છે.
રામ નવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસાના સવાલ પર સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જી મુસ્લિમ તુષ્ટિકરણને પ્રોત્સાહન આપી રહી છે. તેણીને ખબર નથી કે, બંગાળમાં પ્રવર્તતી પરિસ્થિતિઓમાં તે પોતે પણ થોડા સમય માટે સુરક્ષિત રહેશે નહીં.
બિહાર અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે, બિહારમાં હિંસા થઈ રહી છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર રોજા ઈફ્તારમાં ખજૂર ખાઈ રહ્યા છે. બંને રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. મમતા બેનર્જીના નિવેદન પર તેમણે જણાવ્યું હતું કે, પથ્થરમારો હંમેશા હિન્દુઓ અથવા સૈનિકો પર જ થાય છે, મમતા જણાવો કે, અન્ય કોઈ સમુદાય પર પથ્થરમારો થયો હતો?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
