લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન, સેફ્ટી પ્રોટોકોલ સહિત આ વાતનોનું ધ્યાન રાખવું પડશે
લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન, સેફ્ટી પ્રોટોકોલ સહિત આ વાતનોનું ધ્યાન રાખવું પડશે
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થવાની ઘટના બાદ સરકારે લૉકડાઉન હટ્યા બાદ ઔદ્યોગિક એકમોમાં કામ શરૂ કરવાને લઈ ફરીથી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સખ્ત સૂચના આપતા સરકારે કહ્યું કે બધા જ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાવવું જોઈએ અને ઉદ્યોગોએ હાલ ઉત્પાદનનું ઉંચુ લક્ષ્ય ના રાખવું જોઈએ. સરકારે જોર આપતા કહ્યું કે પહેલા અઠવાડિયાને ટ્રાયલ રૂપે જોવું જોઈએ.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા અને ઓછામાં ઓછા 1000 લોકો પ્રભાવિત થયા હતા. સરકારે આ ઘટનાના ત્રણ દિવસ બાદ જાહેર કરાયેલ દિશાનિર્દેશોમાં તમામ ઉદ્યોગોને કર્મચારીઓની સુરક્ષા માટે સાવધાની વરતવાનો આગ્રહ કર્યો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ લૉકડાઉનના કારણે કેટલાય ઔદ્યોગિક એકમો બંધ છે, જેનાથી એ વાતની સંભાવના છે કે કેટલાક પરિચાલકોએ માનક પરિચાલન પ્રક્રિયાનું પાલન ના કર્યું હોય, જેના પરિણામસ્વરૂપ કેટલાક વિનિર્માણ સુવિધાઓ, પાઈપલાઈન, વાલ્વમાં અપશિષ્ટ રાસાયણ હોય શકે છે, જે ખતરો પેદા કરી શકે છે. આ વાત જ એવા ભંડારણ એકમો માટે પણ લાગૂ થાય છે, જેમાં ખતરનાક રસાયણ અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરતી વખતે પહેલા અઠવાડિયાને ટ્રાયલ કે પરિક્ષણ અવધિના રૂપે માનવામાં આવવું જોઈએ. સાથે જ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વધુ પડતા ઉત્પાદન લક્ષ્ય રાખવાની કોશિશ ના કરાવવી જોઈએ.
દિશાનિર્દેશો મુજબ ફેક્ટરી પરિસરમાં ચોબીસો કલાક સૈનિટાઈઝેશન પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ. આ ઉપરાંત લંચ રૂમ, કોમન ટેબલને દર બેથી ત્રણ કલાક બાદ સેનિટાઈઝ કરવું જોઈએ.
જેમાં કહેવામાં આવ્યું છે કે જોખમ ઘટાડવા માટે આવા કર્મચારીઓએ ખાસ સતર્કતા વરતવાની જરૂરત છે, જે વિશેષ ઉપકરણો પર કામ કરે છે. એવા લોકોએ મશીન અજીબ રીતે અવાજ કરવા, લીક થવા, વાઈબ્રેશન, થવા ધુમાડાનું ધ્યાન રાખશે. જરૂરત પડવા પર તરત તેની મરમ્મત કરાવશે અથવા મશીન બંધ કરી દેશે.
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેને બીજીવાર 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જો કે આ દેરમિયાન સરકારે કોરોના વાયરસ પહોંચ્યો ના હોય તેવા ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
