લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન, સેફ્ટી પ્રોટોકોલ સહિત આ વાતનોનું ધ્યાન રાખવું પડશે
લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન, સેફ્ટી પ્રોટોકોલ સહિત આ વાતનોનું ધ્યાન રાખવું પડશે
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થવાની ઘટના બાદ સરકારે લૉકડાઉન હટ્યા બાદ ઔદ્યોગિક એકમોમાં કામ શરૂ કરવાને લઈ ફરીથી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સખ્ત સૂચના આપતા સરકારે કહ્યું કે બધા જ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાવવું જોઈએ અને ઉદ્યોગોએ હાલ ઉત્પાદનનું ઉંચુ લક્ષ્ય ના રાખવું જોઈએ. સરકારે જોર આપતા કહ્યું કે પહેલા અઠવાડિયાને ટ્રાયલ રૂપે જોવું જોઈએ.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા અને ઓછામાં ઓછા 1000 લોકો પ્રભાવિત થયા હતા. સરકારે આ ઘટનાના ત્રણ દિવસ બાદ જાહેર કરાયેલ દિશાનિર્દેશોમાં તમામ ઉદ્યોગોને કર્મચારીઓની સુરક્ષા માટે સાવધાની વરતવાનો આગ્રહ કર્યો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ લૉકડાઉનના કારણે કેટલાય ઔદ્યોગિક એકમો બંધ છે, જેનાથી એ વાતની સંભાવના છે કે કેટલાક પરિચાલકોએ માનક પરિચાલન પ્રક્રિયાનું પાલન ના કર્યું હોય, જેના પરિણામસ્વરૂપ કેટલાક વિનિર્માણ સુવિધાઓ, પાઈપલાઈન, વાલ્વમાં અપશિષ્ટ રાસાયણ હોય શકે છે, જે ખતરો પેદા કરી શકે છે. આ વાત જ એવા ભંડારણ એકમો માટે પણ લાગૂ થાય છે, જેમાં ખતરનાક રસાયણ અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરતી વખતે પહેલા અઠવાડિયાને ટ્રાયલ કે પરિક્ષણ અવધિના રૂપે માનવામાં આવવું જોઈએ. સાથે જ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વધુ પડતા ઉત્પાદન લક્ષ્ય રાખવાની કોશિશ ના કરાવવી જોઈએ.
દિશાનિર્દેશો મુજબ ફેક્ટરી પરિસરમાં ચોબીસો કલાક સૈનિટાઈઝેશન પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ. આ ઉપરાંત લંચ રૂમ, કોમન ટેબલને દર બેથી ત્રણ કલાક બાદ સેનિટાઈઝ કરવું જોઈએ.
જેમાં કહેવામાં આવ્યું છે કે જોખમ ઘટાડવા માટે આવા કર્મચારીઓએ ખાસ સતર્કતા વરતવાની જરૂરત છે, જે વિશેષ ઉપકરણો પર કામ કરે છે. એવા લોકોએ મશીન અજીબ રીતે અવાજ કરવા, લીક થવા, વાઈબ્રેશન, થવા ધુમાડાનું ધ્યાન રાખશે. જરૂરત પડવા પર તરત તેની મરમ્મત કરાવશે અથવા મશીન બંધ કરી દેશે.
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેને બીજીવાર 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જો કે આ દેરમિયાન સરકારે કોરોના વાયરસ પહોંચ્યો ના હોય તેવા ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
