પ્રવિણ તોગડિયા સંગઠનનું એલાન, સલમાન ખાનને પીટનારને 2 લાખનું ઈનામ
બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. જો કે આ વખતે તે પોતાના નહિ પરંતુ પોતાના જીજાના કારણે વિવાદમાં ફસાયો છે. સલમાન ખાનને પીટવા માટે એક નેતાએ બે લાખનું ઈનામ રાખ્યુ છે.
બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. જો કે આ વખતે તે પોતાના નહિ પરંતુ પોતાના જીજાના કારણે વિવાદમાં ફસાયો છે. સલમાન ખાનને પીટવા માટે એક નેતાએ બે લાખનું ઈનામ રાખ્યુ છે.

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયાના સાથી ગોવિંદ પરાશરે સલમાન પર આ ઈનામ રાખ્યુ છે. પરાશરે સલમાન પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આખો વિવાદ સલમાનના જીજા આયુષ શર્માવાળી ફિલ્મ 'લવરાત્રિ' માટે થયો છે.

સલમાનની ફિલ્મોના પોસ્ટર બાળો
સલમાન ખાન પોતાની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને પોતાની નવી ફિલ્મમાં લોન્ચ કરી રહ્યા છે. ફિલ્મ સલમાન ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે અને તેનું નામ ‘લવરાત્રિ' રાખવામાં આવ્યુ છે. આખો વિવાદ ફિલ્મના નામ માટે જ શરૂ થયો છે. ગોવિંદ પરાશરે કહ્યુ કે આ નામની ફિલ્મ બનાવીને તે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ગુરુવારે પરાશરે બાકી કાર્યકર્તાઓ સાથે મળીને ભગવાન ટૉકિઝની બહાર સલમાન ખાનની ફિલ્મોના પોસ્ટર્સ બાળ્યા હતા.

સલમાનને પીટવા પર રાખ્યુ 2 લાખનું ઈનામ
કાર્યકર્તાઓએ ફિલ્મના વિરોધમાં નારા પણ લગાવ્યા. પરાશરે કહ્યુ, "ફિલ્મ સલમાન દ્વારા બનાવવામાં આવી રહી છે. ‘નવરાત્રિ' એક ધાર્મિક અવસર છે જેની સાથે લાખો હિંદુઓની ભાવનાઓ જોડાયેલી છે. અમે સલમાન ખાનના આ પ્રકારના ઈરાદાની નિંદા કરીએ છીએ અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરીએ છીએ. જો આને સ્ક્રીન કરવાની અનુમતિ મળી તો અમે આનો પૂરો વિરોધ કરીશું." પરાશરે આગળ કહ્યુ કે "તે હિંદુઓની ભાવનાઓને ઠેસ નહિ પહોંચવા દે. ‘હિંદુ હી આગે' સિટી યુનિટ પ્રેસિડેન્ટ હોવાના નાતે હું સલમાન ખાનને સાર્વજનિક જગ્યાએ પીટનારને 2 લાખનું ઈનામ આપીશ."

નવરાત્રિ પર આધારિત છે આ ફિલ્મ
‘હિંદુ હી આગે' પ્રવીણ તોગડિયાનું નવુ સંગઠન છે જેના સિટી યુનિટ પ્રેસિડેન્ટ પરાશરે ક્હયુ કે, "સેન્સર બોર્ડે આ ફિલ્મ પાસ ના કરવી જોઈએ. જો આની સ્ક્રીનિંગ થશે તો ‘હિંદુ હી આગે' ના કાર્યકર્તાઓ આનો વિરોધ કરશે અને જે પણ થિયેટરમાં બતાવશે તે બાળી નાખીશુ." તમને જણાવી દઈએ કે લવરાત્રિ ગુજરાત પર કેન્દ્રીત ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યુ છે અને તે આ વર્ષે 5 ઑક્ટોબરે રિલીઝ થવાની આશા છે. લગભગ આ સમયે આખા દેશમાં નવરાત્રિનો તહેવાર ચાલતો હશે. સલમાન ખાન પોતાના જીજા આયુષ શર્માને આ ફિલ્મથી લોન્ચ કરી રહ્યા છે. તેની સાથે વરીના હુસેન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
