Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રવિણ તોગડિયા સંગઠનનું એલાન, સલમાન ખાનને પીટનારને 2 લાખનું ઈનામ

બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. જો કે આ વખતે તે પોતાના નહિ પરંતુ પોતાના જીજાના કારણે વિવાદમાં ફસાયો છે. સલમાન ખાનને પીટવા માટે એક નેતાએ બે લાખનું ઈનામ રાખ્યુ છે.

બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. જો કે આ વખતે તે પોતાના નહિ પરંતુ પોતાના જીજાના કારણે વિવાદમાં ફસાયો છે. સલમાન ખાનને પીટવા માટે એક નેતાએ બે લાખનું ઈનામ રાખ્યુ છે.

salman khan

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયાના સાથી ગોવિંદ પરાશરે સલમાન પર આ ઈનામ રાખ્યુ છે. પરાશરે સલમાન પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આખો વિવાદ સલમાનના જીજા આયુષ શર્માવાળી ફિલ્મ 'લવરાત્રિ' માટે થયો છે.

સલમાનની ફિલ્મોના પોસ્ટર બાળો

સલમાનની ફિલ્મોના પોસ્ટર બાળો

સલમાન ખાન પોતાની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને પોતાની નવી ફિલ્મમાં લોન્ચ કરી રહ્યા છે. ફિલ્મ સલમાન ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે અને તેનું નામ ‘લવરાત્રિ' રાખવામાં આવ્યુ છે. આખો વિવાદ ફિલ્મના નામ માટે જ શરૂ થયો છે. ગોવિંદ પરાશરે કહ્યુ કે આ નામની ફિલ્મ બનાવીને તે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ગુરુવારે પરાશરે બાકી કાર્યકર્તાઓ સાથે મળીને ભગવાન ટૉકિઝની બહાર સલમાન ખાનની ફિલ્મોના પોસ્ટર્સ બાળ્યા હતા.

સલમાનને પીટવા પર રાખ્યુ 2 લાખનું ઈનામ

સલમાનને પીટવા પર રાખ્યુ 2 લાખનું ઈનામ

કાર્યકર્તાઓએ ફિલ્મના વિરોધમાં નારા પણ લગાવ્યા. પરાશરે કહ્યુ, "ફિલ્મ સલમાન દ્વારા બનાવવામાં આવી રહી છે. ‘નવરાત્રિ' એક ધાર્મિક અવસર છે જેની સાથે લાખો હિંદુઓની ભાવનાઓ જોડાયેલી છે. અમે સલમાન ખાનના આ પ્રકારના ઈરાદાની નિંદા કરીએ છીએ અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરીએ છીએ. જો આને સ્ક્રીન કરવાની અનુમતિ મળી તો અમે આનો પૂરો વિરોધ કરીશું." પરાશરે આગળ કહ્યુ કે "તે હિંદુઓની ભાવનાઓને ઠેસ નહિ પહોંચવા દે. ‘હિંદુ હી આગે' સિટી યુનિટ પ્રેસિડેન્ટ હોવાના નાતે હું સલમાન ખાનને સાર્વજનિક જગ્યાએ પીટનારને 2 લાખનું ઈનામ આપીશ."

નવરાત્રિ પર આધારિત છે આ ફિલ્મ

નવરાત્રિ પર આધારિત છે આ ફિલ્મ

‘હિંદુ હી આગે' પ્રવીણ તોગડિયાનું નવુ સંગઠન છે જેના સિટી યુનિટ પ્રેસિડેન્ટ પરાશરે ક્હયુ કે, "સેન્સર બોર્ડે આ ફિલ્મ પાસ ના કરવી જોઈએ. જો આની સ્ક્રીનિંગ થશે તો ‘હિંદુ હી આગે' ના કાર્યકર્તાઓ આનો વિરોધ કરશે અને જે પણ થિયેટરમાં બતાવશે તે બાળી નાખીશુ." તમને જણાવી દઈએ કે લવરાત્રિ ગુજરાત પર કેન્દ્રીત ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યુ છે અને તે આ વર્ષે 5 ઑક્ટોબરે રિલીઝ થવાની આશા છે. લગભગ આ સમયે આખા દેશમાં નવરાત્રિનો તહેવાર ચાલતો હશે. સલમાન ખાન પોતાના જીજા આયુષ શર્માને આ ફિલ્મથી લોન્ચ કરી રહ્યા છે. તેની સાથે વરીના હુસેન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X