સીનિયર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આયુષ્યમાન ભારત યોજનાના કર્યા વખાણ
લખનઉમાં નાણાં પંચની બેઠકમાં સીનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે NDA સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મંગળવારે ખુર્શીદે જણાવ્યું કે આ એક સારી યોજના છે.
લખનઉમાં નાણાં પંચની બેઠકમાં સીનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે NDA સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મંગળવારે ખુર્શીદે જણાવ્યું કે આ એક સારી યોજના છે. આ યોજનાથી ઘણા સામાન્ય લોકોને ફાયદો થઇ રહ્યો છે. બધી પાર્ટીઓએ આ યોજના માટે સહયોગ કરવો જોઇએ.

સલમાન ખુર્શીદે આયુષ્યમાન યોજનાને લઇને જણાવ્યું હતું કે ગરીબોની સાથે સાથે મિડલ ક્લાસના લોકો માટે પણ આ યોજના લાભકારી છે. જેથી સર્વેએ આ યોજનાનું સમર્થન કરવું જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાને હજી સારી રીતે લાગુ કરવામાં આવી નથી. આમાં એટલા પૈસા ખર્ચવામાં આવ્યા નથી જેટલા ફાળવવામાં આવ્યા હતા.
મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કરનાર સલમાન ખુર્શીદ કેટલીયેવાર સરકારની આલોચના પણ કરી ચુક્યા છે. સલમાન ખુર્શીદે થોડા સમય પહેલા કહ્યું હતું કે જે રીતે દેશ ચાલી રહ્યો છે તેને લઇને કોંગ્રેસ બહું ચિંતિત છે. મારૂ માનવું છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સારૂ કામ કર્યું, તે શોધવુ એટલું જ મુશ્કેલ છે જેટલું ઘાસમાં પડેલી સોયને શોધવી છે.
સલમાન ખુર્શીદ પોતાની પાર્ટીના મતભેદો પર ખુલીને વાત કરતા હોય છે. થોડા સમય પહેલા તેમણે ફેસબુક પર ઓપન લેટર લખીને રાહુલ ગાંધીને ફરીથી કકોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત કરી હતી. સલમાન ખુર્શીદે કહ્યું કે રાહુલ ગાંધીને એકવાર ફરી પાર્ટીની કમાન સંભાળવી જોઇએ. કોંગ્રેસે ભાજપા બનવું જોઇએ નહી અને પોતાનો અલગ નજરીયો અને સોચ કોઇનાથી ડર રાખ્યા વગર લોકો સમક્ષ રજુ કરવી જોઇએ.
આ પણ વાંચો: સુસાઇડ બોમ્બર બની પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને ધમકી આપી
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
