For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાજવાદી નેતાઓના બળાત્કારી નિવેદન: 'મીડિયાના લીધે વધી રહ્યાં છે બળાત્કાર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mulayam-yadav
લખનઉ, 5 જૂન: ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકાર જ્યારે વધતા જતા અપરાધો પર લગામ કસવામાં અસમર્થન સાબિત થઇ તો બધા નેતાઓએ એકજુટત બતાવતાં એક જ નિવેદન આપવાનું નક્કી કરી લીધું છે. સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવે પોતાના એક નિવેદનમાં કહ્યું કે 'તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો.' મુલાયમ સિંહે એમપણ કહ્યું કે બળાત્કારની ઘટનાઓ મીડિયના દુષ્પ્રચારના લીધે વધી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવની પત્ની અને કન્નૌજથી સાંસદ ડિંપલ યાદવે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને આના પર જલદી કોઇ કાર્યવાહી કરવામાં આવશે. ડિંપલ યાદવ પણ આ વાતને સારી રીતે જાણે છે કે તેમના પતિ અને મુખ્યમંત્રી આ મુદ્દે કંઇ કરવાના નથી. ચોતરફ ઘેરાઇ ચૂકેલી યૂપી સરકાર હવે મીડિયાને તેના માટે જવાબદાર ગણાવવાનું નક્કી કરી બેઠી છે.

અખિલેશ યાદવ અને મુલાયમ સિંહના નિવેદનો બાદ સપા પાર્ટીની વિચારસણીને સરળતાથી સમજી શકાય છે. સપાની વિચારસણી ફક્ત અહીં સુધી છે કે 'પાંચ વર્ષ માટે ખુરશી મળી છે જેટલા વધુ લૂંટી શકાય એટલા લૂંટી લો, ઘટનાઓથી પોતાની સરકાર તો નહી ઢળી પડે કારણ કે આપણે બહુમતમાં છીએ.' જો કે કેન્દ્ર સરકારે આ મુદ્દે યુપીને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

English summary
Uttar Pradseh Chief Minister Akhilesh Yadav is fail to stop rape cases. Even Samajwady party leaders says that Media and bollywood is more responsible for rape cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X