Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સમાજવાદી નેતાઓના બળાત્કારી નિવેદન: 'મીડિયાના લીધે વધી રહ્યાં છે બળાત્કાર'

mulayam-yadav
લખનઉ, 5 જૂન: ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકાર જ્યારે વધતા જતા અપરાધો પર લગામ કસવામાં અસમર્થન સાબિત થઇ તો બધા નેતાઓએ એકજુટત બતાવતાં એક જ નિવેદન આપવાનું નક્કી કરી લીધું છે. સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવે પોતાના એક નિવેદનમાં કહ્યું કે 'તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો.' મુલાયમ સિંહે એમપણ કહ્યું કે બળાત્કારની ઘટનાઓ મીડિયના દુષ્પ્રચારના લીધે વધી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવની પત્ની અને કન્નૌજથી સાંસદ ડિંપલ યાદવે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને આના પર જલદી કોઇ કાર્યવાહી કરવામાં આવશે. ડિંપલ યાદવ પણ આ વાતને સારી રીતે જાણે છે કે તેમના પતિ અને મુખ્યમંત્રી આ મુદ્દે કંઇ કરવાના નથી. ચોતરફ ઘેરાઇ ચૂકેલી યૂપી સરકાર હવે મીડિયાને તેના માટે જવાબદાર ગણાવવાનું નક્કી કરી બેઠી છે.

અખિલેશ યાદવ અને મુલાયમ સિંહના નિવેદનો બાદ સપા પાર્ટીની વિચારસણીને સરળતાથી સમજી શકાય છે. સપાની વિચારસણી ફક્ત અહીં સુધી છે કે 'પાંચ વર્ષ માટે ખુરશી મળી છે જેટલા વધુ લૂંટી શકાય એટલા લૂંટી લો, ઘટનાઓથી પોતાની સરકાર તો નહી ઢળી પડે કારણ કે આપણે બહુમતમાં છીએ.' જો કે કેન્દ્ર સરકારે આ મુદ્દે યુપીને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X