ફોન ટેપિંગના કારણે થયા હતા સામંથાના ડિવૉર્સ? શંકાના ઘેરામાં તત્કાલીન તેલંગાણા સરકાર
Telangana Telephone Tapping: તેલંગાણામાં લોકસભા ચૂંટણી પહેલા ફોન ટેપિંગ વિવાદને લઈને રાજકારણ ચરમસીમા પર છે. તેલંગાણા ઈન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ વડા ટી પ્રભાકર રાવનુ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.
ટી પ્રભાકર રાવ પર તેલંગાણામાં અગાઉની BRS સરકાર દરમિયાન વિપક્ષી નેતાઓ તેમજ તેલુગુ કલાકારો અને ઉદ્યોગપતિઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો અને તેમના આદેશો પર ડેટા એકત્રિત કરવાનો આરોપ છે.

હવે આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તેલંગણામાં ટેલિફોન ટેપિંગના એક અત્યંત ગંભીર મામલામાં ટૉલીવુડ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું નામ સામે આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તત્કાલીન સરકારી ટીમે અભિનેત્રીના ફોન ટેપ કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના છૂટાછેડાનું આ એક કારણ હતું.
NDTVના અહેવાલો અનુસાર, કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણાની અગાઉની BRS સરકાર પર રાજ્ય ગુપ્તચર બ્યુરો દ્વારા ફોન ટેપ કરીને વિપક્ષી નેતાઓની જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કુલ એક લાખથી વધુ ફોન ટેપ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ, ભાજપ અને બીઆરએસના નેતાઓ તેમજ ઘણા તેલુગુ કલાકારો અને ઉદ્યોગપતિઓ સર્વિંલાંસમાં હતા.
આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જેમાં એડિશનલ ડીસીપી તિરૂપતન્ના, એડિશનલ એસપી એન ભુજંગા રાવ અને ડેપ્યુટી એસપી પ્રનીત રાવનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા ચૈતન્યના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને વર્ષ 2021માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા. બે વર્ષ સુધી મિત્રતા અને ડેટિંગ પછી, સામંથા અને નાગા ચૈતન્યએ 2017માં લગ્ન કર્યા હતા.
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?






Click it and Unblock the Notifications
