એક મહિના સુધી આર્થર રોડ જેલમાં જ રહેશે સંજય દત્ત !

ડીએનએ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર આગામી મહિના સુધી આર્થર રોડ જેલમાં જ રહેશે. કહેવામાં આવે છે કે આર્થર રોડ જેલમાં શિફ્ટિંગમાં મોડું થવાનું કારણ જેલ વહિવટી તંત્ર સંજયની સુરક્ષાને માની રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને જેલમાં એક મહિના સુધી ઘરનું જમવાની છૂટ સાથે-સાથે એક મહિના સુધી ઘરેથી મોકલવામાં આવેલી દવાઓ લેવાની પરવાનગી મળી છે અને શિફ્ટિંગમાં મોડું થવાનું કારણ આ પણ હોય શકે છે. પરંતુ શિફ્ટિંગ કયા કારણોસર મોડું થઇ રહ્યું છે તે હજુસુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
પોલીસે જણાવ્યું હતું કે સંજય દત્ત હાલમાં આર્થર રોડ જેલમાં અંડા સેલમાં કેદ છે. તેમને 1993 બોમ્બ બ્લાસ્ટ વિસ્ફોટમાં બાકીની જેલની સજા કાપવા માટે આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યાં હતા. અભિનેતા સંજય દત્ત બેચેનીમાં રાતો ગુજારી રહ્યાં તે ધાર્મિક પુસ્તક વાંચી રહ્યાં છે.
એડીશનલ પોલીસ કમીશ્નર (કારાગાર) મીરા બોરવાંકરે કહ્યું હતું કે 'અમે સંજય દત્તને બીજે ક્યાંક સ્થળાંતરિત કરીએ કે નહી તે માટે થોડો વધુ સમય લઇશું. આગામી ભવિષ્યમાં તેમને બીજે ક્યાંય સ્થળાંતરિત કરવામાં આવશે. અન્ય એક જેલ અધિકારીએ કહ્યું હતું કે સંજય દત્તને સ્થળાંતરિત કરવામાં આવે કે નહી તે અંગે અસમંજસની સ્થિતી છે તે માટે ઓછામાં ઓછો 15 દિવસ જેટલો સમય લાગશે.
તેના માટે કારણો દર્શાવવામાં આવ્યાં છે કે જેલ વિભાગ ગુનેગારોની સંખ્યા, સુરક્ષા સ્થિતિ, રાજ્યની વિભિન્ન જેલોમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કેદીઓની હાજરી અંગે માહિતી એકઠી કરી રહ્યાં છે.
જેલ અધિકારીએ કહ્યું હતું કે સંજય દત્તને સ્થળાંતરિત કરતાં પહેલાં અધિકારી વિભિન્ન પાસાઓનું અધ્યન કરી રહ્યાં છે. જો શહેરની જેલમાં કેટલાક કેદીઓ બંધ છે પરંતુ અહી સામાન્ય રીતે વિચારધીન કેદીઓને રાખવામાં આવે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
