'રૂસ- યૂક્રેન યુદ્ધ પર ધ્યાન, પરંતુ મહારાષ્ટ્ર-કર્ણાટક પર ધ્યાન નથી', સંજય રાઉતે પીએમ પર સાધ્યુ નિશાન
શિવસેના નેતા સંજય રાઉતે સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ મોદી પર નિશાન સાધ્યુ હતુ, સંજયુ રાહુતે પોતાના સાપ્તાહીક લેખમાં લખ્યુ હતુ કે, પીએમ પાસે યુક્રેન રશિયાના સંઘર્ષ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક બાબતો પર ચર્
શિવસેના મુખપત્ર સામનામાં સંજય રાઉતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. સામનાના સાપ્તાહીક લેખ ' રોખઠોક' માં કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદી રશિયા- યુક્રેનના વિવાદ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક સમસ્યા માટે સમય નથી .રાઉતે આ વાત મહારાષ્ટ્ર અને કર્ણાટકાના સહરદ વિવાદને લઇને કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા સફ્તાહે બંને રાજ્યોના મુખ્યમ્ત્રી એકનાથ શિંદે અને કર્ણાટકના મુખ્યમત્રી, બસવરાજ બોમ્માઇ વચ્ચે બેટક કરીને આતરીક સમજૂતીથી વિવાદનો અંત લાવવા માટે સહમતી સાધી હતી. તેના માટે 6 મત્રીઓની એક કમીટી બનાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટર પર આ પ્રકારની ખોટી ગેરસમજ ફેલાવનારા સામે પણ કાર્યવાહી કરવા માટે બાહેધરી આપવામાં આવી હતી. સાથએ વિરોધ પક્ષોનેપણ સહકાર આપવા માટે જણાવ્યુ હતુ.
મહારાષ્ટ્રા અને કર્ણાટકા સરહદ વિવાદને લઇને વિપક્ષોના સત્તા પક્ષો પર હૂમલા ચાલુ જ છે. રાજ્યસભા સાંસદ સજય રાઉતે કર્ણાટકા મહારાષ્ટ્ર સરહદ વિવાદ પર સામાનામાં લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે .તેમણે લેખમાં લખ્યુ છે કે, પીએમ રશિયા અને યુક્રેનની યુદ્ધમાં મધ્યસ્થિતિ કરવા તૈયાર છે. પરંતુ આંતરીક મુદ્દા હલ કરવા પર તૈમનું ધ્યાન નથી જે એક સારા નેતાની નિશાની નથી.
પીટીઆઇ સમાચાર એજેન્સી સાથે વાત કરતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર-કર્ણટક સરહદ વિવાદ કોઇ રા્જ્યો રાજ્યો વચ્ચે કે સરકારોનો વિવાદ નથી પરંતુ આ માનવતા વચ્ચેનો સંઘર્ષ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બેલગાવની આજુ બાજુમાં મરાઠી બાષી લોકો મોટી સંખ્યામાં રહે છે જેમને સરહદ વહેચણી દરમિયાન તેમની ઇચ્છા વિરુદ્ધ કર્ણટકામાં સામેલ કરી દેવામાં આવ્યા હતા.