ભાજપ સાંસદે કહ્યુ ‘ઠુમકેવાલી', તો સપનાએ આપ્યો આ જવાબ
કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરવાની અટકળો અંગે ભાજપના એક સાંસદનું વિવાદિત નિવેદન પણ આવ્યુ હતુ. આ નિવેદન પર હવે સપના ચૌધરીએ ભાજપ સાંસદને જવાબ આપ્યો છે.
હરિયાણાની જાણીતી ગાયક અને ડાંસર સપના ચૌધરીએ હાલમાં જ યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરવાની અટકળો અંગે ભાજપના એક સાંસદનું વિવાદિત નિવેદન પણ આવ્યુ હતુ. ભાજપ સાંસદ અશ્વિની કુમાર ચોપડાએ કહ્યુ હતુ કે કોંગ્રેસમાં જે ઠુમકા લગાવવાળા છે તે ઠુમકા જ લગાવશે, એ હવે તેમને જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે ચૂંટણી જીતવી છે. આ નિવેદન પર હવે સપના ચૌધરીએ ભાજપ સાંસદને જવાબ આપ્યો છે.

સપના ચૌધરીએ આપ્યો ભાજપ સાંસદને જવાબ
સપના ચૌધરીએ અશ્વિનીકુમાર ચોપડાના નિવેદન પર કહ્યુ કે તે તેમની માનસિકતા દર્શાવે છે. સપનાએ કહ્યુ કે તે એક કલાકાર છે અને તેમનું કામ મનોરંજન કરવાનું છે. જ્યારે ભાજપ સાંસદના નિવેદન પર જવાબ આપતા સપનાએ કહ્યુ કે તે સીનિયર છે અને માફી માંગવાની માંગ કરવા જેવી કોઈ વાત જ નથી.

સપના ચૌધરીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
હાલમાં જ સપના ચૌધરીએ યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત અંગે સવાલો ઉઠતા સપનાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તે કોંગ્રેસમાં શામેલ નથી થઈ રહી. તેણે કહ્યુ કે સોનિયા ગાંધી સાથે મુલાકાતનો કોંગ્રેસમાં શામેલ થવા જેવો રાજકીય અર્થ ન કાઢવો જોઈએ. સપનાએ કહ્યુ કે સોનિયા ગાંધી સાથે તેમની માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી. જો કે આ પહેલી વાર નથી જ્યારે સપના ચૌધરીના રાજકારણમાં આવવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હોય.

અશ્વિનીકુમાર ચોપડાએ આપ્યુ હતુ વિવાદિત નિવેદન
કરનાલના ભારતીય જનતા પક્ષના સાંસદ અશ્વિની કુમાર ચોપડાને જ્યારે સપના ચૌધરી અંગે સવાલ પૂછ્યા તો તેમણે કહ્યુ, "કોંગ્રેસમાં જે ઠુમકા લગાવવાવાળા છે તે જ ઠુમકા લગાવશે, એ હવે તેમને જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે ચૂંટણી જીતવી છે." ભાજપ સાંસદના આ નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
