તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો ત્રીજો વીડિયો આવ્યો સામે, તત્કાલીન જેલ અધિક્ષક સાથે વાત કરતા દેખાયા
મની લૉન્ડ્રીંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી.
મની લૉન્ડ્રીંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી. હવે જેલમાંથી ત્રીજો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઘણા લોકો સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. આ પછી તિહાર જેલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર તેમને મળવા આવે છે. તેમણે સત્યેન્દ્ર જૈન સાથે લાંબી વાતચીત કરી. જો કે આ મહિનાની શરૂઆતમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વીડિયો પર 12 સપ્ટેમ્બર 2022ની તારીખ લખેલી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેલમાં જૈન પાસે ત્રણ લોકો બેઠા છે, ત્યારે જ તત્કાલીન જેલ સુપ્રિટેન્ડેન્ટ ત્યાં પહોંચી જાય છે. આના પર અન્ય લોકો ત્યાંથી નીકળી જાય છે. જ્યારે અજીત કુમાર ખુરશી પર બેસીને મંત્રી સાથે વાત કરવા લાગે છે. જૈન પણ તેના પલંગ પર આરામથી સૂઈ ગયા અને બંનેએ ઘણી વાર વાતો કરી. 9.40 મિનિટનો આ વીડિયો MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધારી શકે છે.
ભાજપે સાધ્યુ નિશાન
બીજી તરફ આ વીડિયો પર ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે મીડિયાએ તિહારનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વખતે સત્યેન્દ્રના દરબારમાં એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે. જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકીના બળાત્કારી પાસેથી મસાજ કરાવીને અને નવાબી ભોજન લીધા બાદ હવે આ. આ AAPની ભ્રષ્ટાચારી ટ્રીટમેન્ટ છે પરંતુ કેજરીવાલજી તેનો બચાવ કરે છે. શું તે હવે સત્યેન્દ્ર જૈનને સસ્પેન્ડ કરશે?
પહેલા બે વીડિયોમાં શું હતુ?
પહેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન એક કેદી પાસે મસાજ કરાવતા જોવા મળ્યા હતા. જ્યારે વિવાદ વધ્યો ત્યારે AAPએ સ્પષ્ટતા કરી કે તેમને ફિઝિયોથેરાપીની જરૂર છે. બાદમાં ખબર પડી કે કેદી પર એક બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજા વિડિયોમાં જૈન આરામથી ભોજન લેતા જોવા મળ્યા હતા. તેમની સામે ખાવા માટે ઘણી વસ્તુઓ રાખવામાં આવી હતી. આ વીડિયો સામે આવતા પહેલા AAPએ દાવો કર્યો હતો કે તેમને જેલમાં ભોજન નથી મળી રહ્યુ અને તેમનુ વજન 28 કિલો ઘટી ગયુ છે.
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ કેસમાં 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. ઈડીના જણાવ્યા મુજબ સત્યેન્દ્ર જૈન પાસે મની લોન્ડરિંગ માટે ઉપયોગમાં લેવાતી ચાર શેલ કંપનીઓ પર વાસ્તવિક નિયંત્રણ હતુ. જ્યારે સહઆરોપી અંકુશ જૈન અને વૈભવ જૈન માત્ર ડમી હતા.
#WATCH | More CCTV visuals of jailed Delhi Minister and AAP leader Satyendar Jain in Tihar jail come out: Sources pic.twitter.com/4c6YdJ2bAL
— ANI (@ANI) November 26, 2022
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
