અદાણી મુદ્દે SBI ના વડાની પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું?
દિનેશ ખારાએ કહ્યું છે કે, SBI નું અદાણી ગ્રૂપ પાસે 27,000 કરોડનું અંદાજીત એક્સ્પોઝર છે, જે 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ લોન બુકનું 0.88% છે.
નવી દિલ્હી : હિડનબર્ગના રિપોર્ટને કારણે અદાણીની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. અદાણી મુદ્દે સંસદમાં પણ ભારે હંગામો ચાલી રહ્યો છે અને 6 ફેબ્રુઆરી સુધી કાર્યવાહી સ્થગિત કરાઈ છે. વિપક્ષ સતત સંસદમાં સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા તપાસની માંગ કરી રહી છે. તમામ ઘટના ક્રમ વચ્ચે ત્યારે હવે એસબીઆઈનું નિવેદન આવ્યુ છે. એસબીઆઈના પ્રમુખ દિનેશ ખારાએ આ મુદ્દે વાત કરી છે.

અદાણીને કારણે બેંકો ડુબવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે દિનેશ ખારાએ કહ્યું છે કે, SBI નું અદાણી ગ્રૂપ પાસે 27,000 કરોડનું અંદાજીત એક્સ્પોઝર છે, જે 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ લોન બુકનું 0.88% છે. તેમણે આગળ કહ્યું કે, આ લોન અસ્કયામતો અને વ્યવસાયો સામે છે, જે રોકડ પેદા કરી રહી છે. તેથી અમને કોઈ પડકાર નથી. અમારા માટે ચિંતાનું કોઈ કારણ નથી.
વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવ્ રહી છે કે, સરકારી બેંક SBIએ અદાણી ગ્રુપને 21.38 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. આ સિવાય ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ કંપની LIC એ છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે. આ બધું સરકારના ઈશારે થયું છે. આ સ્થિતિમાં તપાસ થવી જોઈએ.
SBI has an overall exposure of Rs 27,000 cr in Adani group which is 0.88% of the loan book as on 31st Dec 2022. The loans are against assets & businesses that are cash-generating. So, we don’t see any challenge, no cause of concern for us: SBI Chief Dinesh Khara pic.twitter.com/mcVru9a3ZJ
— ANI (@ANI) February 3, 2023
હિંડનબર્ગના રિપોર્ટ પહેલા જૂથના શેરમાંથી LICનો નફો 81,000 કરોડ હતો. જે 2 ફેબ્રુઆરીએ ઘટીને 43,000 કરોડ થઈ ગયો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે શેરબજારનું આ સૌથી મોટું કૌભાંડ છે.
હવે હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી એડવોકેટ એમએલ શર્માએ દાખલ કરી છે. અરજીમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેના સહયોગીઓ સામે રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ FIR નોંધવાની માંગ કરી છે. આ સિવાય રોકાણકારો માટે વળતરની પણ માંગ કરાઈ છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
