ગોવા: BJPના સરકાર બનાવવાના દાવાને SCમાં કોંગ્રેસનો પડકાર
ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે મનોહર પર્રિકરને ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યાં છે. સાથે તેમને 15 દિવસની અંદર ગોવા વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે.
ગોવા માં મનોહર પર્રિકર મુખ્યમંત્રી પદની શપથ લે એ પહેલાં જ એક મુસીબત સામે આવી ઊભી છે. મનોહર પર્રિકરને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ માં પડકાર્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઓછી બેઠકો મળી હોવા છતાં સરકાર બનાવવાનો દાવો કરવો એ લોકતંત્રની હત્યા છે. સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની અરજી પર બને એટલી જલ્દી સુનાવણી કરવા તૈયાર થઇ ગઇ છે. મંગળવારે સવારે આ અરજી પર સુનાવણી કરવામાં આવશે. કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પર રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, 40 બેઠક ધરાવતી ગોવા વિધાનસભામાં ભાજપ પાસે બહુમત નથી. ભાજપ પાસે 13 બેઠકો છે. ભાજપ નાના અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે, આમ છતાં કોંગ્રેસ સરકાર નથી બનાવી શકતી, આથી કોંગ્રેસે ભાજપના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે.
રવિવારે ભાજપે મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવવાનું નક્કી કર્યું છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે મનોહર પર્રિકરને ગોવાના નવા મુખ્યમંત્રી નિયુક્ત કર્યાં છે અને સાથે તેમને 15 દિવસની અંદર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે નિર્ણય ગવર્નર પર છે, બની શકે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરિણામે શપથ ગ્રહણનો સમારોહ ટાળવામાં આવે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
