સુપ્રીમ કોર્ટનો CBIને સવાલ - દાભોલકર, પાનસરે, લંકેશ અને કલબુર્ગીની હત્યાઓમાં કોઈ સમાનતા છે?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તર્કવાદી નરેન્દ્ર દાભોલકર, સીપીઆઈ નેતા ગોવિંદ પાનસરે, કાર્યકર-પત્રકાર ગૌરી લંકેશ અને એમએમ કલબુર્ગીની હત્યાની સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સવાલ કર્યો હતો કે શું આ તમામ લોકોની હત્યામાં કોઈ સમાનતા છે?
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે નરેન્દ્ર દાભોલકરની પુત્રી મુક્તા દાભોલકરની અરજી પર સુનાવણી કરતી વખતે સીબીઆઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા.

મુક્તા દાભોલકર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે બેન્ચને જણાવ્યું કે 4 હત્યાઓ પાછળ એક મોટું કાવતરું હતું. તેમણે કહ્યું કે કેટલાક પુરાવા છે જે દર્શાવે છે કે આ કેસ એકબીજા સાથે સંબંધિત હોઈ શકે છે. મુક્તા દાભોલકરે પણ બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
અંધશ્રદ્ધા સામે લડતા દાભોલકરને 20 ઓગસ્ટ, 2013ના રોજ પુણેમાં મૉર્નિંગ વૉક દરમિયાન મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પાનસરેની 20 ફેબ્રુઆરી 2015ના રોજ જ્યારે લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ હત્યા કરવામાં આવી હતી. કલબુર્ગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 30 ઓગસ્ટ 2015ના રોજ તેમનુ અવસાન થયું હતુ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
