રાહુલને રાહત: સુપ્રિમકોર્ટે બળાત્કારના કેસને ફગાવ્યો
અપહરણ કરી તેના પર બળાત્કાર કરવાના આ કેસને બરતરફ કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે અરજી દાખલ કરનારે આ અંગે કોઇ ઠોસ પૂરાવા રજૂ કર્યાં નથી. કોર્ટે સમરિતેને ફટકારેલા દંડની રકમમાં રાહત આપતાં પચાસ લાખમાંથી ધટાડીને દસ લાખ કરી દિધી છે. આ ઉપરાંત કોર્ટે સમરિતેને આદેશ આપ્યો છે કે ખોટો કેસ દાખલ કરવાના ગુનામાં દંડરૂપે પાંચ લાખ રાહુલ ગાંધીને અને પાંચ લાખ રૂપિયા છોકરીના પરિવારને ચૂકવવા પડશે.
તેમને જણાવી દઇએ કે આ પહેલાં આ સંબંધી સનસનીખેજ ખુલાસો થઇ ચૂક્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારમાં આવેલી અરજી પર સુનાવણી કરતાં વકીલે જણાવ્યું હતું કે વર્ષ 2011માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ બળાત્કાર અને છોકરીને બંધક બનાવવાના મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવાના ઇશારે કરવામાં આવ્યો હતો.