સંજુબાબાની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જવું પડશે જેલ
નવી દિલ્હી, 10 મે : 1993 મુંબઇના સીરીયલ બ્લાસ્ટ કેસમાં હથિયાર રાખવાના ગુનામાં દોષી ઠરેલ અભિનેતા સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પુનર્વિચાર અરજી પર આજે સુનવણી કરતા કોર્ટે સંજય દત્તને રાહત નહી આપવાનો નિર્ણય કરી અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી એક વાત નક્કી થઇ જાય છે કે હવે મુન્નાભાઇએ જેલયાત્રા કરવી જ પડશે.
સંજય દત્તના વકીલે પત્રકારોને જણાવ્યું કે 'પુનર્વિચાર અરજીમાં કોર્ટમાં કોઇ દલિલ કરવાની હોતી નથી. આરોપો અને કેસના આધારે કોર્ટે પોતાનો નિર્ણય આપવાનો હોય છે. કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાઇ છે માટે હવે સંજય દત્તે શરણાગતિ કરવી પડશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને સુપ્રિમ કોર્ટે ગયા મહિને 16 એપ્રિલના રોજ સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હવે તેમણે 16 મેના રોજ કોઇપણ હાલતમાં સરેન્ડર કરીને જેલભેગા થવું જ પડશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
