Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો, જે બાદ કેટલાય દશકોથી ચાલી રહેલ આ વિવાદનો અંત થઈ ગયો હતો. પરંતુ કોર્ટના ફેસલા પર અસહમતિ જતાવતા મુસ્લિમ પક્ષે આ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જો કે મુસ્લિમ પક્ષમાં પણ એક તબક્કો એવો છે જેનું કહેવું છે કે આ ફેસલાની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવી ન જોઈએ. જેથી આજે સૌકોઈની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત નવ નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ પર ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત ભૂમિને હિન્દુ પક્ષને આપવાનો આદેશ આપ્યો. જ્યાં રામ મંદિરનું નિર્માણ થવાનું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના જમીન પરના દાવાને ફગાવી દીધો હતો. પરંતુ કોર્ટે કહ્યું હતું કે નિર્મોહી અખાડાને રામ મંદિરના ટ્રસ્ટમાં જગ્યા આપવામાં આવે.
મુસ્લિમ પક્ષ તરફથી વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પાંચ એકર જમીનનો સ્વીકાર નહિ કરીએ કેમ કે આ શરિયા કાનૂનની વિરુદ્ધ છે. જફરયાબ જિલાની સુન્ની વક્ફ બોર્ડના વકીલ છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ફેસલામાં કેટલીય વિરોધાભાસી વાતો કહેવામાં આવી છે. શરિયા મુજબ મસ્જિદ ત્યાં જ રહે છે જ્યાં તેનું એકવાર નિર્માણ થઈ જાય છે. શરિયામાં આ વાતની ઈજાજત નથી કે અમે મંદિર બનાવવા માટે કોઈપણ પ્રકારની જમીન કે પૈસાનો સ્વીકાર કરીએ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
