શિડ્યુલ આંતરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર ફ્લાઈટો માટે DGCAનુ મોટુ એલાન
કોરોના વાયરસ સંકટના કારણે શિડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર સેવાઓ માટે DGCAએ મોટુ એલાન કર્યુ છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટના કારણે શિડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર સેવાઓને હવે 30 નવેમ્બર, 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય(DGCA) એ બુધવારે આ માહિતી આપી. મળતી માહિતી મુજબ આ નિર્ણય દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવામાં આવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ માહિતી આપી હતી કે તહેવારની સિઝનમાં દેશમાં પાંચ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે માર્ચમાં લગાવવામાં આવલે દેશવ્યાપી લૉકડાઉનના બે મહિના બાદ એટલે કે 25 મેથી ઘરેલુ પેસેન્જર ફ્લાઈટો ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે માર્ચથી લઈને અત્યાર સુધી ઈન્ટરનેશનલ કૉમર્શિયલ સેવાઓને બંધ જ રાખવામાં આવી છે. આ દરમિયાન વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયા સાથ વંદે ભારત મિશન પણ ચલાવ્યુ પરંતુ સામાન્ય આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓને બંધ કરીને રાખવામાં આવી. ડીજીસીએએ કહ્યુ કે 25 મેથી 31 મે વચ્ચે 2.81 લાખ હવાઈ યાત્રીઓએ ઘરેલુ યાત્રા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 80 લાખ પાસે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,893 નવા કેસ સામે આવ્યા છે અને 508 મોત થયા છે. તમને જણાવી દઈએકે ભારતમાં અત્યાર સુધી કોરોનાના 79,90,322 કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 6.10,803 સક્રિય કેસ છે જ્યારે 72,59,509 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. ભારતમાં છેલ્લા 5 સપ્તાહથી કોરોના વાયરસના સરેરાશ દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.
Suspension on scheduled international commercial passenger services to/from India extended till November 30: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/fFRJ5UVVlP
— ANI (@ANI) October 28, 2020
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
