છત્તીસગઢ : 11 વિદ્યાર્થીઓ સાથે બળાત્કાર, શિક્ષક, ચોકીદારની ધરપકડ

બધી જ પીડિત વિદ્યાર્થીનીઓની ઉંમર 8 થી 12 વર્ષની છે. શિક્ષક અને ચોકીદાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ બે વર્ષથી આ દુષ્કર્મ આચરી રહ્યાં હતા. આરોપમાં શિક્ષક અને ચોકીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની નોંઘણી કરી પોલીસે તપાસ હાથ ધરી છે. મેડિકલ તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું છે કે આ કેસમાં 4 વિદ્યાર્થીઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે યૌન શોષણ ગુજારવામાં આવતું હતું.
છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં કાંકેર જિલ્લાના નરહરપુર બ્લોકના ઝલિયામારી ગામની એક કન્યા આશ્રમમાં 11 આદિવાસી બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે પરંતુ ડરના મારે વિદ્યાર્થીનીઓ આ અંગે કોઇને બતાવી રહી નથી. જો કે આ કિસ્સો પ્રકારમાં આવ્યો ત્યારે દુષ્કર્મનો ખુલાસો થયો.












Click it and Unblock the Notifications
