રિસર્ચમાં દાવોઃ 50 વર્ષ બાદ ભારતમાં સહારા રણ જેવી ભીષણ ગરમી પડશે
રિસર્ચમાં દાવોઃ 50 વર્ષ બાદ ભારતમાં સહારા રણ જેવી ભીષણ ગરમી પડશે
નવી દિલ્હીઃ ગ્રીનહાઉસ ગેસ અને ગ્લોબલ વોર્મિંગને પગલે પૃથ્વીના વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારું અધ્યયન સામે આવ્યું છે. જે મુજબ આગલા 50 વર્ષમાં દુનિયાના એક તૃતિયાંશ એટલે કે 3.5 અબજ લોકોએ સહારા રણ જેવી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ અધ્યયન જર્નલ પ્રોસીડિંગ્સ ઑફ ધી નેશનલ એકેડમી ઑફ સાયન્સ પ્રેક્ટિસમાં પ્રકાશિત થયો છે.

વાર્ષિક તાપમાનમાં સરેરાસ 1.8 ડિગ્રીનો વધારો
નીધરલેન્ડના વેગનનિંગન વિશ્વવિદ્યાલયના ઈકોલોજિસ્ટ માર્ટન શેફર મુજબ જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક સરેરાસ વાર્ષિક તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થશે. આનાથી લગભગ એક અબજ લોકો ગરમીમાં એસી વિના રહેવા માટે મજબૂર થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેટલા લોકો ખતરામાં છે, તે એ વાત પર પણ નિર્ભર કરે છે કે કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કેટલું થશે અને દુનિયાની વસ્તી કેટલી તેજીથી વધે છે. જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જનસંખ્યા વૃદ્ધિ અને કાર્બન પ્રદૂષણના મામલે સૌથી ખરાબ સ્થિતિ અંતર્ગત લગભગ 3.5 અબજ લોકો અતિ ગરમ ક્ષેત્રમાં રહેશે. આ 2070ની અનુમાનિત વસ્તીનું એક તૃતિયાંશ છે. કૉર્નેલ વિશ્વવિદ્યાલયના જળવાયુ વૈજ્ઞાનિક નતાલી મહોલ્ડે કહ્યું કે આ ઓછા સમયમાં લોકોની બહુ મોટી સંખ્યા છે. આ કારણ જ છે કે આપણે ચિંતિત છીએ. જળવાયુ પરિવર્તનને અલગ રીતે જોવા માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે ભાલૂ, પક્ષી અને મધમાખકીઓ પર અધ્યયન કર્યું,

6000 વર્ષ પહેલાના તાપમાનમાં અનુમાન લગાવ્યું
તેમણે 6000 વર્ષ પહેલાના તાપમાનમાં અનુમાન લગાવ્યું કે 52થી 59 ડિગ્રી વચ્ચે સરેરાસ વાર્ષિક તાપમાન હોવાની વાત કહેવામાં આવી. વર્તમાનમાં લગભગ 2 કરોડ લોકો 29 ડિગ્રી સેલ્સિયસથી વધુ વાર્ષિક અવરેજ તાપમાન વાળા સ્થળો પર રહે છે, આવા સ્થળો જે અનુકૂળ તાપમાન વાળા સ્થળોથી દૂર છે. જ્યારે ક્ષેત્ર પૃથ્વીના 1 ટકથી ઓછા છે, અને આ વધુ સહારો રણ પાસે છે, જેમાં મક્કા, સાઉદી અરબ સામેલ છે. તેમાં ભારત પણ સામેલ હશે.

7.5 ડિગ્રી વધુ તાપમાન સુધી સામનો કરવો પડશે
ઈંગ્લેન્ડની યૂનિવર્સિટી ઑફ એક્સેટરના જળવાયુ વૈજ્ઞાનિકો અને ગ્લોબલ સિસ્ટમ ઈન્સ્ટીટ્યૂટનના નિદેશક સહ અધ્યનકર્તા ટિમ લેંટને કહ્યું કે નાઈઝીરિયા જેવા ગરીબ દેશની વસ્તી સદીના અંત સુધી ત્રણ ગણા થવાની ઉમ્મીદ છે, તેની ગરમીની સમસ્યાથી સામનો કરવાની ક્ષમતા ઓછી છે. આ સદીના અંત સુધી વૈશ્વિક તાપમાનમાં જ્યારે એવરેજ 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારે માણસોના વિવિધ દેશો અને ત્યાં હવામાન મુજબ 7.5 ડિગ્રી વધુ તાપમાન સુધીનો સામનો કરવો પડશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
