મુંબઇમાં જુહુ - ગિરગામ ચોપાટી વચ્ચે શરૂ થશે 'સી પ્લેન' સેવા
મુંબઇ, 27 જૂન : દેશની આર્થિક રાજઘાની મુંબઇ આમ તો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની રામયણને કારણે જ કેન્દ્ર સરકારે કરેલા રેલવેના ભાડા વધારામાં ભાજપ અને તેના સાથી પક્ષ શિવસેનાએ દબાણ કરીને મુંબઇની લોકલ ટ્રેનના ભાડા વધારવાના નિર્ણયમાં મુંબઇગરાઓને રાહત અપાવી છે. આ દરમિયાન મુંબઇગરાઓ માટે એક અન્ય આનંદના સમાચાર છે. મુંબઇમાં હવે વ્યાવસાયિક ધોરણે 'સી પ્લેન' સેવા શરૂ થવાની છે. જો કે મુંબઇગરાઓને સી પ્લેનની સવારીનો આનંદ હમણા નહીં પણ ચોમાસા બાદ દિવાળીની ભેટ તરીકે ચાખવા મળી શકે છે.
સી પ્લેનને વ્યાવસાયિક ધોરણે ચલાવવા માટે શિપિંગ અને ડિફેન્સ મીનિસ્ટ્રી પાસેથી મંજુરી લેવાની હોય છે. આ મંજૂરી મળી ગઇ છે. આ કારણે હવે વેસ્ટર્ન સબઅર્બ જુહુથી સાઉથ મુંબઇમાં આવેલી ગિરગામ ચોપાટી વચ્ચે સૌ પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ચાર કે સાત વ્યક્તિ બેસી શકે તેવા પ્લેનની ટિકિટ રૂપિયા 850ની આસપાસ હશે.

મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ સેવા દિવાળીની આસપાસ શરૂ કરવામાં આવશે.
મુંબઇવાસીઓ માટે આ સેવા સાવ નવો અનુભવ કહી ના શકાય. કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇથી લોનાવાલા વચ્ચે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી ચૂકી છે. આ સેવા 25 મીનિટનો સમય લે છે. જે રોડ દ્વારા પ્રવાસ કરતા લગભગ ચોથા ભાગનો છે.
નોંધનીય છે કે એક મહિના પહેલા પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીઓમાં બહુમતી મેળવનાર ભાજપ મહારાષ્ટ્રમાં પોતાના સાથી પક્ષ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા ઇચ્છે છે. વર્ષ 1999માં શિવસેના અને ભાજપ ચૂંટણી હારી ગયું હતું. ત્યારથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની યુતિ સરકાર છે.
<center><iframe src='http://www.ndtv.com/video/embed-player/?site=classic&id=327560&autoplay=0&pWidth=418&pHeight=385&category=embed' width='418' height='385' frameborder='0' scrolling='no' ></iframe></center>
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
