For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં અનંતનાગમાં બીજું એન્કાઉન્ટર, 1 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકમાં બીજું એન્કાઉન્ટર ચાલુ છે. હાલમાં જે જાણકારી આવી છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે એક જવાન આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકમાં બીજું એન્કાઉન્ટર ચાલુ છે. હાલમાં જે જાણકારી આવી છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે એક જવાન આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે, જયારે સુરક્ષાબળો ઘ્વારા બે આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એક આતંકીને સુરક્ષાબળો ઘ્વારા ઘેરી લેવામાં આવ્યો છે અને તે એક બિલ્ડિંગમાં સંતાયેલો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બધા જ આતંકીઓ પાકિસ્તાની આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે.

jammu and kashmir

પુલવામાં આતંકી હુમલા પછી એન્કાઉન્ટર

સોમવારે અનંતનાગમાં એક એન્કાઉન્ટ થયું હતું જેમાં મેજર કેતન શર્મા શહીદ થયા હતા અને મેજર રાહુલ સહિત ત્રણ જવાનો ઘાયલ પણ થયા હતા. ઘાયલ થયેલા લોકોનો ઉપચાર શ્રીનગરના 92 આર્મી બેઝ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. અનંતનાગમાં એન્કાઉન્ટર પુલવામાં આતંકી હુમલા પછી થઇ રહ્યું છે. આ હુમલામાં આતંકીઓએ સેનાના કાફલાને આઈડી બ્લાસ્ટ ઘ્વારા નિશાનો બનાવ્યો હતો. હુમલામાં 6 જવાનો ઘાયલ થયા જેમાં 3 જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ હુમલામાં ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: ઈદ ઉજવવા ઘરે આવેલા જવાનની આતંકીઓએ હત્યા કરી

English summary
Second encounter in Anantnag in 24 hours, 1 Jawan martyr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X