Jio ખોટ કરતું સાહસ સાબિત નહીં થાય : મુકેશ અંબાણી
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

Jio ખોટ કરતું સાહસ સાબિત નહીં થાય : મુકેશ અંબાણી
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો માટે રૂ.2.50 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું હોવા છતાં રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી. જિયોના ફ્રી વોઇસ અને સસ્તા ડેટા ઓફરિંગથી ગભરાવાની જરૂર નથી. રિલાયન્સ જિયો મૂડીરોકાણ પર 18થી 19 ટકાના તંદુરસ્ત દરે વૃદ્ધિ નોંધાવશે.

ઝાંસીમાં પત્નીએ ફોન લોક પાસવર્ડ છુપાવતા પતિએ કરાવી હત્યા
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 29 ઓગષ્ટે પૂનમ વર્માની તેના પતિ વિનિત કુમારે મિત્રો સાથે મળીને હત્યા કરી નાખી હતી. વિનિતે પોલીસને જણાવ્યું કે સ્માર્ટફોન લીધા બાદ પૂનમનો વ્યવહાર બદલાઇ ગયો હતો આથી વિનિતે પૂનમની લોક પેટર્ન જાણવા માગી હતી. પૂનમે ઇન્કાર કરતા તેની હત્યા કર્યા હતી.

દિલ્હી સ્ટેશને કેજરીવાલની સુરક્ષા વ્યવસ્થામાં ભંગાણ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ટ્રેન દ્વારા પંજાબ જવા માટે આજે સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ એમની સામે દેખાવો કર્યા હતા. પોલીસોએ કેજરીવાલની મદદે જવાને બદલે તમાશો જોયા કર્યો હતો.

શપથ લેતા પહેલા જવાબદારીઓથી વાકેફ નહોતોઃ પ્રણવ મુખરજી
રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું સંગ્રહાલય બીજી ઑક્ટોબરથી ખુલ્લું મૂકાશે. જેમાં રાખવામાં આવેલી વિશેષ ભેટો અને બહુમૂલ્ય સંગ્રહોને જોઇ શકાશે. કહ્યું કે શપથ લીધા તે પહેલાં રાષ્ટ્રપતિ ભવન કઇ રીતે કામ કરે તે વિશે માહિતી નહોતી. જે જાણવા માટે શપથવિધિના બે દિવસ પહેલાં તેમણે પોતાની દીકરીને રાષ્ટ્રપતિ ભવનમાં મોકલી હતી.












Click it and Unblock the Notifications
