શહિદ ભગત સિંહ યુવા એવોર્ડ ફરી શરૂ કરશે માન સરકાર
ગુરૂ નાનક સ્ટેડિયમમાં ખેડાં વતન પંજાબ દિયાં ના સમાપન સમારોહને સંબોધિત કરતા સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગત સરકારોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડનું આયોજન બંધ રાખ્યું હતું. જેને હવે આપ સરકાર ફરી શરૂ કરશે.
પંજાબ સરકાર લાંબા સમયથી બંધ કરવામાં આવેલા શહીદ ભગત સિંહ યુવા એવોર્ડ ફરીથી શરૂ કરશે. ગુરૂ નાનક સ્ટેડિયમમાં ખેડાં વતન પંજાબ દિયાં ના સમાપન સમારોહને સંબોધિત કરતા સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગત સરકારોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડનું આયોજન બંધ રાખ્યું હતું. જેને હવે આપ સરકાર ફરી શરૂ કરશે.

વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનારા યુવાનોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે ભગવંત માને જણાવ્યું હતું કે, હવે ખેલાડીઓએ ઈનામની રકમ માટે રાહ જોવી નહીં પડે. કોમનવેલ્થ ગેમ્સ જીતનારા તમામ ખેલાડીઓને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે મહિને ગેમ્સ સમાપ્ત થઈ તે જ મહિનામાં પૈસા પ્રાપ્ત થયા હતા, જ્યારે પહેલા તેમાં ચાર વર્ષ લાગતા હતા. હવે આવું નહીં થાય.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રમતના ક્ષેત્રમાં પંજાબને ફરી એકવાર ટોચ પર લાવવું પડશે, તેને માત્ર સરકાર લાવી શકે નહીં. આ માટે ખેલાડીઓએ પણ સખત મહેનત કરવી પડશે. સરકાર તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પંજાબ સરકાર દેશના અન્ય રાજ્યોમાં રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓનો ખર્ચ ઉઠાવશે અને વિજય સાથે પરત ફરનારા ખેલાડીઓનું સન્માન પણ કરશે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ભારત એક દિવસ પહેલા જ G 20નું અધ્યક્ષ બની ગયું છે. ભગવંત માને જણાવ્યું હતું કે, શિક્ષણ પર પ્રથમ G-20 સંમેલન અમૃતસરમાં યોજાશે, જેમાં વિવિધ દેશોના વડાપ્રધાનો પહોંચશે. અમે ઇચ્છીએ છીએ કે, પંજાબ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સનું આયોજન કરે, જેથી પંજાબ તેની સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાને બતાવી શકે.












Click it and Unblock the Notifications
