શાહરુખને વાનખેડે સ્ટેડિયમ આઇપીએલ મેચ વિવાદ મામલે મળી ક્લીનચીટ
બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન પર 2012 માં કે કે આર અને મુંબઇ ઇંડિયંસ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં સિક્યોરિટી ગાર્ડ સાથે ગાળા-ગાળી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમને આ મામલે મુંબઇ પોલીસે ક્લીનચીટ આપી દીધી છે.

5 વર્ષનો લાગ્યો હતો પ્રતિબંધ
આ ઘટના બાદ મુંબઇ ક્રિકેટ એસોસિએશને શાહરુખખાન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. મુંબઇ પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતને જણાવ્યું કે આ વિવાદમાં કોઇ " સંગીન " અપરાધ બનતો નથી.
આવી રીતે ફાઇલ થયો હતો કેસ
તે ઘટના બાદ સામાજિક કાર્યકર્તા અમિત મારુએ શાહરુખખાનની વિરુદ્ધ કેસ ફાઇલ કરાવ્યો હતો. જ્યારે જવાબમાં શાહરુખે વળતો કેસ ફાઇલ કરાવીને કહ્યું હતુ કે આઇપીએલ મેચમાં કે કે આરની જીત બાદ તેમના બાળકો અને અમુક દોસ્તો સ્ટેડિયમમાં આવ્યા તો ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેમને બહાર જવા કહ્યું.












Click it and Unblock the Notifications
