Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, 1300 કાર્યકર્તાઓએ છોડી પાર્ટી

Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નાગોર જિલ્લાની ખીંવસર વિધાનસભાના પદાધિકારી સહિત 1300 કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કુચરા નગરપાલિકાના ચેરમેન તેજપાલ મિર્ધાએ આ જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નાગૌર લોકસભા સીટ પર રાષ્ટ્રીય લોકસભા સીટ (RLP) સાથે ગઠબંધન કર્યું છે, અને તેને RLP માટે ખાલી છોડી દીધું છે. કોંગ્રેસે નાગોર સાંસદ અને આરએલપી ચીફ હનુમાન બેનીવાલને અહીં મેદાનમાં ઉતાર્યા છે.

આ દરમિયાન હનુમાન બેનીવાલની ફરિયાદના આધારે, સોમવારના રોજ નાગોરથી ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાની તરફેણમાં પ્રચાર કરવા બદલ કોંગ્રેસના ત્રણ કાર્યકરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્શનનો વિરોધ કર્યો - નાગોરમાં કોંગ્રેસના નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભરા રામ, કુચેરા નગરપાલિકા અધ્યક્ષ તેજપાલ મિર્ધા અને સુખરામ ડોડવાડિયાને સસ્પેન્ડ કર્યા પછી તરત જ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. સસ્પેન્શનના વિરોધમાં કોંગ્રેસના ત્રણેય નેતાઓએ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

તેજપાલ મિર્ધાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નાગોરમાં મજબૂત સ્થિતિમાં હતી. તેમણે આઠમાંથી ચાર બેઠકો જીતી હતી. લોકસભા ચૂંટણીમાં તેની સ્થિતિ એટલી જ મજબૂત હતી. તેમ છતાં, RLP સાથે ગઠબંધન શા માટે કરવામાં આવ્યું હતું?

Lok sabha Election 2024

હનુમાન બેનીવાલ નાગોરમાં કોંગ્રેસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી વ્યક્તિ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસના કાર્યકરોને ભારે આઘાત લાગ્યો છે. એટલા માટે અમે બધા સામૂહિક રાજીનામું આપી રહ્યા છીએ.

કોંગ્રેસ હાઈકમાન્ડે સ્થાનિક કોંગ્રેસ રાજ્ય એકમની સંમતિ વિના RLP સાથે જોડાણ કર્યું. આ જોડાણ અમારા પર લાદવામાં આવ્યું છે. આરએલપીએ સમગ્ર જિલ્લામાં કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું હતું.

અમે ક્યારેય ભાજપ સાથે સ્ટેજ શેર કર્યું નથી. છતાં હનુમાન બેનીવાલે અમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. કોઈપણ માહિતી અથવા કારણ બતાવો નોટિસ વિના, કોંગ્રેસે સીધો તુગલકી હુકમનામું બહાર પાડીને અમને હાંકી કાઢ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા કાર્યકરોની સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં 21 કાઉન્સિલર, 8 પૂર્વ કાઉન્સિલર, 07 પંચાયત સમિતિના સભ્યો, એક બ્લોક પ્રમુખ, 10 ઉપપ્રમુખ, 24 મહામંત્રી, 22 સચિવ, 12 સહ-સચિવ, 30 કાર્યકારી સભ્યોનો સમાવેશ થાય છે.

આ સાથે 264 બૂથ પ્રમુખો, 01 NSUI, 01 યૂથ કોંગ્રેસ વિધાનસભા પ્રમુખ સહિત કોંગ્રેસ સંગઠન સાથે સંકળાયેલા 400 જેટલા અધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના 500 જેટલા કાર્યકરોએ પણ કોંગ્રેસ છોડી દીધી છે.

આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર વરુણ પુરોહિતે જણાવ્યું હતું કે, આ ભાજપનો પ્રચાર છે. આ બધુ નકલી છે. ભીડમાં રહેલા લોકો હંમેશા કોંગ્રેસના સભ્યો નથી હોતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X