શક્તિ સિંહ ગોહિલને બિહારના પ્રભારી પદેથી હટાવાયા, ભક્તા ચરણ દાસ બનશે નવા પ્રભારી
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે બિહાર પ્રભારીના પદ પરથી રાજીનામું આપવા માંગતા હતા. તેમણે પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખી આ પદ પરથી મુક્ત કરી દેવામાં આવે અને કોઈ હળવી જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. બિહાર કોંગ્રેસ પ્
કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલે બિહાર પ્રભારીના પદ પરથી રાજીનામું આપવા માંગતા હતા. તેમણે પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખી આ પદ પરથી મુક્ત કરી દેવામાં આવે અને કોઈ હળવી જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. બિહાર કોંગ્રેસ પ્રભારી અને સાંસદ શક્તિસિંહ ગોહેલે વ્યક્તિગત કારણોસર કોંગ્રેસ હાઈકમાન્ડને ભલામણ કરી હતી કે તેમને હળવી જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારમાંથી મુક્ત કરવામાં આવે.
કોંગ્રેસ હાઇકમાન્ડે શક્તિસિંહ ગોહિલની આ ભલામણનો સ્વિકાર કર્યો હતો. હવે શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષે શક્તિસિંહ ગોહિલનું રાજીનામું સ્વિકારી લીધું હતુ. હવે બિહારમાં પ્રભારી તરીકે કોંગ્રેસના ભક્તા ચરણ દાસની નિમણુંક કરવામાં આવી છે.
આ પણ વાંચો: શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ, હાઈ કમાન્ડને કહ્યુ - હળવી જવાબદારી આપો