For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે તેઓ પુણે લોકસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે, ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી જ 2014માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. એનસીપી ધારાસભ્યએ જણાવા મુજબ શરદ પવારે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે એમના નામને સામેલ ન કરવામાં આવે. એમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેથી કરીને કોઈપણ એમના નામનો પ્રસ્તાવ ન મોકલે.

sharad pawar

જ્યારે શરદ પવારના ફેસલા બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે પવાર સાહેબ અમારા સૌથી મોટા નેતા છે, તેઓ 78 વર્ષના છે અને લાગે છે કે હવે એમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં એમને અપીલ કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહિ લડે અને કોઈ એમનું નામ પણ આગળ ન વધારે. સાથે જ એમણે કહી દીધું કે તમારા ધ્યાનમાં કોઈ ઉમેદવાર હોય તો તેમનું નામ આગલ મોકલવું.

English summary
Sharad pawar big announcement that he will not contest 2019 loksabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X