પ્રફુલ્લ પટેલના ઘરે શરદ પવારની ભત્રીજા અજીત સાથે બેઠક

ajit sarad pawar
મુંબઇ, 28 સપ્ટેમ્બરઃ અજીત પવારે આપેલા રાજીનામાં બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના જોડાણવાળી સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. જેના સંદર્ભે વરલી સ્થિત કેન્દ્રીયમંત્રી પ્રફુલ્લ પટેલના નિવાસ્થાને પાર્ટી પ્રમુખ શરદ પવાર અને અજીત પવાર વચ્ચે બેઠક યોજાઇ છે. સિંચાઈ વિભાગમાં ગેરરીતિ અંગેના મીડિયા અહેવાલ બાદ મંગળવારે અજીત પવારે ડેપ્યુટી ચિફ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.

આ ગેરરીતિ એ સમયે થઇ હતી જ્યારે તેઓ વર્ષ 1999-2009માં સિંચાઈ વિભાગના મંત્રી હતાં. અજીત પવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અન્ય 19 એનસીપી મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા.

એનસીપીને શંકા છે કે નુક્સાનકારક માહિતી લીક થવા પાછળ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણનો હાથ છે. શરદ પવાર એ તમામ મંત્રીઓને મળ્યાં જેમણે પોતાના રાજીનામા રાજ્ય એકમના પ્રમુખ મધુકર પિછાડને સોંપ્યા હતા.

એનસીપી લેજિસ્લેટર અને મંત્રીઓ બુધવારે એવુ ઇચ્છી રહ્યાં હતા કે અજીત પવાર રાજીનામું પાછું ખેંચી લે. શરદ પવાર દ્રારા અજીત પવારનું રાજીનામું સ્વિકારી લેવા અંગે નિર્ણય કરવામાં આવશે, જો કે અન્ય 19 મંત્રીઓને રાજીનામું પરત ખેંચી લેવા જણાવાયું હતું.

એવા સમાચાર છે કે, શરદ પવાર કદાચ એનસીપીની લેજીસલેટીવ મીટિંગ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણને મળશે. ચવાણે હજૂ સુધી અજીત પવારનું રાજીનામું સ્વિકાર્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X