શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે 50 મિનિટ લાંબી બેઠક, બેઠકના મુદ્દાઓને લઈને સ્પષ્ટતા નહીં
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સંસદના ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં તરફથી આ બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સંસદના ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં તરફથી આ બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી. હાલમાં આ મીટિંગમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તે બહાર આવ્યુ નથી.
થોડા દિવસો પહેલા પ્રશાંત કિશોર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. આ સમાચાર આવ્યા પછી વિપક્ષી પાર્ટીઓની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પવાર પર નજર છે. જો કે, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાએ આ અટકળોને ફગાવી રહ્યા છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં પવારે કહ્યું હતું કે 'તે કહેવું ખોટું હશે કે હું રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉમેદવાર છું'. પવારે સ્પષ્ટ કર્યું હતું કે 2024 ની ચૂંટણી માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે.
ગુરુવારે પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન, બંને વચ્ચે મહા અઘાડી સરકારના સંકલન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉલ્લખનિય છે કે છેલ્લા 2 મહિનામાં પવાર અને ઠાકરે વચ્ચેની આ બીજી બેઠક છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સત્તાપક્ષોના ગઠબંધનમાં બધુ ઠીક ન હોવાના સમાચાર પણ છે. આવી સ્થિતિમાં 19 જુલાઇથી ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા પવાર અને પીએમ મોદીની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
તાજેતરમાં જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે 2024 ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન પદ માટે એનસીપીના વડા પવારને ચહેરો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મજબૂત ચહેરા વિના 2024 માં મોદીને હરાવવા મુશ્કેલ બનશે. હાલમાં વિપક્ષ પાસે પીએમ મોદીનો સામનો કરવા કોઈ ચહેરો નથી. તમામ પક્ષોએ ચૂંટણી લડવા ચહેરો શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ.