For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનસીપી પ્રમુખ શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ

|
Google Oneindia Gujarati News

sharad pawar
મુંબઇ, 1 ફેબ્રુઆરી: એવું લાગે છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી રહ્યા છે. એવા સંકેત ખુદ શરદ પવારે આપ્યા છે. તેમણે જણાવ્યું કે હું રાજનીતિમાં 46 વર્ષથી છું. હવે યુવાનોને તક આપવી જોઇએ.

રાહુલ ગાંધીને પીએમ બનાવવા પર શરદ પવારે જણાવ્યું કે એ કોંગ્રેસનો અંદરનો મામલો છે. જોકે યુપીએ 3ના પીએમ પદ માટેનો નિર્ણય બધી જ સહયોગી પાર્ટીઓની વાતચીત બાદ થશે.

શરદ પવારે સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને નકારી કાઢી કાઢી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જે પાર્ટીને 170-180 સીટ મળશે તે જ સરકાર બનાવશે.

શરદ પવારે જણાવ્યું કે 'મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને એટલી સીટ મળી શકે છે. એ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. જો તેલંગાણાનું ગઠન થાય છે તો ત્યાંની તમામ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે.'

English summary
NCP president Sharad Pawar want to take retirement from politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X