શરદ પવાર આગામી લોકસભા ચૂંટણી નહીં લડે

sharad-pawar
નવી દિલ્હી, 3 મે : દેશના કૃષિ પ્રધાન શરદ પવાર આગામી લોકસભા ચૂંટણી 2014 નહીં લડે. આનો અર્થ એવો નથી કે તેઓ રાજકારણને તિલાંજલિ આપી રહ્યા છે. જો કે પવારના આ નિર્ણયની શિવસેનાએ ટીકા કરી છે.

આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ જાહેરાત કરી છે કે તેના પ્રમુખ અને કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને વડા પ્રધાન બનવાની કોઈ મહત્વાકાંક્ષા નથી અને તે લોકસભાની આવનારી ચૂંટણી નહીં લડે.

જે કે વાસ્તવમાં શરદ પવારને વડા પ્રધાન બનવાની આકાંક્ષા છે અને તેમના ભત્રીજા અજીત પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા છે એવી શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે કરેલી ટકોરના જવાબમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે ઉધ્ધવ મુખ્ય પ્રવાહના રાજકારણથી દૂર રહ્યા છે એટલે એમને ખબર નથી કે પવારે લોકસભાની આગામી ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X