Sharad Yadav Passes Away: શરદ યાદવનુ 75 વર્ષની વયે નિધન, અહીં જાણો તેમની રાજકીય સફર
શરદ યાદવનુ 75 વર્ષની વયે હરિયાણાના ગુરુગ્રામમાં એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયુ. અહીં અમે તમને જણાવીએ તેમના રાજકીય જીવનની ઝલક.
Sharad Yadav Demise: શરદ યાદવનુ 75 વર્ષની વયે હરિયાણાના ગુરુગ્રામમાં એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયુ. ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ગુરુગ્રામ દ્વારા એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ કે પીઢ નેતા શરદ યાદવને ઈમરજન્સીમાં હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. એ વખતે તેઓ બેભાન હતા અને કોઈ પણ રીતે જવાબ આપી રહ્યા ન હતા. રાતે 10.19 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આવો જાણીએ તેમના રાજકીય વ્યક્તિત્વની ઝલક...

શોષિતો અને વંચિતોનો અવાજ ચિર નિંદ્રામાં પોઢી ગયો
શરદ યાદવનો જન્મ ભલે મધ્ય પ્રદેશમાં થયો હોય પરંતુ બિહાર જીવનભર તેમનુ કાર્યસ્થળ રહ્યુ. ચૂંટણી માટે હંમેશા તૈયાર માનવામાં આવતા શરદ યાદવની રાજકીય સફર જય પ્રકાશ નારાયણના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. બિહારની મધેપુરા બેઠક પરથી ચાર વખત સાંસદ બનેલા શરદ યાદવ શોષિત અને વંચિત વર્ગનો અવાજ ઉઠાવવાના હિમાયતી હતા. જીવનના અંતિમ દિવસોમાં લાલુનો સાથ આપનાર શરદ યાદવે એક વખત તેમને મધેપુરા બેઠક પરથી રાજકીય પરાજય આપ્યો હતો.

રાજદમાં સામેલ થયા શરદ યાદવ
સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા શરદ યાદવે 1974માં રાજકીય સફર શરૂ કરી હતી. બ્રાહ્મણ અને ઉચ્ચ વર્ગની ગુંડાગીરીની રાજનીતિને મોટો પડકાર આપનાર શરદ યાદવ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તેમણે 2018માં જનતા દળ યુનાઈટેડથી અલગ થઈને અલગ પાર્ટી બનાવી હતી. શરદ યાદવ બાદમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં જોડાયા હતા.

સીએમ નીતિશ કુમારના રાજકીય ગુરુ
શરદ યાદવનો જન્મ 1 જુલાઈ, 1947ના રોજ હોશંગાબાદમાં થયો. બિહારના મધેપુરાથી તેઓ 4 વખત લોકસભા સાંસદ બન્યા. 1997માં જનતા દળના અધ્યક્ષ બન્યા. જબલપુર એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા. 1974માં પહેલીવાર સાંસદ બન્યા. તેમને સીએમ નીતિશ કુમારના રાજકીય ગુરુ માનવામાં આવે છે. બાદમાં નીતિશ સાથે મતભેદો થતા JDUથી અલગ થયા. 2014માં રાજ્યસભા માટે ચૂંટાયા. તેમની સમગ્ર કારકિર્દીમાં સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા. બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને શરદ યાદવ સંસદમાં પહોંચ્યા હતા. હવાલા કૌભાંડમાં તેમનુ નામ સામે આવતા રાજીનામુ આપવુ પડ્યુ હતુ.

પૂર્વોત્તર ભારતના મુદ્દાઓ પર ચિંતા
પૂર્વોત્તર ભારતમાં આદિવાસીઓના મુદ્દાઓ પર અવાજ ઉઠાવનાર શરદ યાદવે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલના નિયંત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં સંબોધન દરમિયાન શરદે બંધારણની છઠ્ઠી અને સાતમી સૂચિ, પર્વતીય વિસ્તારો સાથે સંબંધિત વિષયો પર પ્રસ્તાવોને લાંબા સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવા બદલ સરકારની આકરી ટીકા કરી હતી. સંસદસભ્ય બન્યા બાદ શરદ યાદવે હંમેશા ડાબેરી પક્ષો સાથે સંવાદ જાળવી રાખ્યો હતો. જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવા નેતાઓ સાથે સંકળાયેલા શરદ યાદવે ગ્રામીણ ભારત, ખેતી અને મજૂરોને લગતી ચિંતાઓ દર્શાવી હતી.

શરદ યાદવ કોંગ્રેસ સાથે પણ જોડાયા
જનતા દળ યુનાઈટેડ (JDU) ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ યાદવનુ 75 વર્ષની વયે નિધન થતા તેમની સાથે સંકળાયેલી યાદો શેર કરતા કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે સિદ્ધાંતવાદી રાજકારણ કરનારા શરદ યાદવનુ સભ્યપદ ગુમાવવામાં પણ કોઈ વિલંબ ન કર્યો. તેમણે કહ્યુ કે શરદ યાદવના મિત્રો વધુ હતા અને ટીકાકારો ઓછા હતા. આનંદ શર્માને સંયુક્ત વારસો ચળવળ શરૂ કરવામાં શરદ યાદવનુ માર્ગદર્શન પણ મળ્યુ.

સંસદમાં 'પરકટી મહિલા' પર વિવાદ
જય પ્રકાશ નારાયણ સાથે રાજકીય સફર શરૂ કરનાર શરદ યાદવ પણ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ, રામ મનોહર લોહિયા, મધુ લિમયે સહિત અનેક રાજકીય પક્ષો સાથે ઉભા જોવા મળ્યા હતા. શરદ યાદવનો સંસદીય રેકોર્ડ પણ યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયક માનવામાં આવે છે. મહિલા આરક્ષણ મુદ્દે સંસદમાં ચર્ચા દરમિયાન 2008-09માં શરદ યાદવે 'પરકટી મહિલા' શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે ઘણો વિવાદ થયો હતો. જો કે શરદ યાદવ પોતાના નિવેદન પર અડગ રહ્યા.

શરદ યાદવ અને મંડલ કમિશનનો સમય
બિહારના પૂર્વ સાંસદ પપ્પુ યાદવે શરદ યાદવને દેશભક્તિને બધાથી ઉપર રાખનાર વ્યક્તિત્વ ગણાવ્યા. તેમણે કહ્યુ કે શરદ યાદવે હંમેશા સામાજિક ન્યાય માટે લડતા નેતાઓને સમર્થન આપ્યુ છે. પપ્પુ યાદવે મંડલ કમિશનના નિર્ણયો દરમિયાન પણ શરદ યાદવની મહત્વની ભૂમિકા જણાવી હતી. તેમણે કહ્યુ કે નૈતિક બળ હંમેશા શરદ યાદવની સાથે રહ્યુ. તેથી જ તેમણે ક્યારેય સમાધાન કર્યુ નથી. તેમના નિધનથી સામાજિક ન્યાય માટેની ઝુંબેશને મોટો ફટકો પડશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
