Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરદ યાદવ બિહારથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા

પટણા, 13 જૂન : જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના અધ્યક્ષ શરદ યાદવ બિહારથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાઇ આવશે તે લગભગ નક્કી છે. જો કે બાકીની બે અન્ય બેઠકો માટે જનતાદળ યુનાઇટેડના ઉમેદવારો, જેડીયુના જ બળવાખોરો અને ભાજપાના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ રસાકસી ભર્યો રહેવાની શક્યતા છે.

બિહારમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આજનો દિવસ પૂરો થયા પછી વિધાનસભા સચિવ હરેરામ મુખિયાએ લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠક પર શરદ યાદવ નિર્વિરોધ ચૂંટાઇ આવવાની ઘોષણા કરી છે. લોજપાના અધ્યક્ષ રામવિલાસ પાસવાને લોકસભા ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ પોતાની બેઠક છોડી દીધી છે.

sharad-yadav

બિહારમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી અધિકારી મુખિયાએ આ બાબતની માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે અન્ય બે બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જે બે બેઠકો ખાલી પડી છે તેમાંથી એક સીટ ભાજપના રાજીવ પ્રતાપ રુડી અને રાજદ છોડીને ભાજપમાં જોડાયેલા રામકૃષ્ણ યાદવના લોકસભા ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ ખાલી પડી છે. આ બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X