નવી શિક્ષણ નીતિ વિશે શશિ થરૂરે ઉત્તર ભારતીયો પર સાધ્યુ નિશાન
નવી શિક્ષણ નીતિમાં જે રીતે ત્રણ ભાષાઓને શાળામાં લાગુ કરવાની વાત કહેવામાં આવી છે તેનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વિરોધ કર્યો છે.
નવી શિક્ષણ નીતિમાં જે રીતે ત્રણ ભાષાઓને શાળામાં લાગુ કરવાની વાત કહેવામાં આવી છે તેનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વિરોધ કર્યો છે. શશિ થરૂરે કહ્યુ કે ત્રણ નવી ભાષાઓના ફોર્મ્યુલાનું સમાધાન આને ફગાવી દેવાનુ નથી પરંતુ તેને વધુ સારી રીતે લાગુ કરવાનું છે. વાસ્તવમાં નવી શિક્ષણ નીતિનો તમિલનાડુમાં સખત વિરોધ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નવી શિક્ષણ નીતિમાં હિંદી ભાષાને ભણાવવાનું અનિવાર્ય કરવામાં આવ્યુ છે જેનો દક્ષિણ ભારતના રાજ્ય સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે.

થરૂરે વ્યક્ત કર્યો વાંધો
થરુરે કહ્યુ કે આ વિચારનો વિરોધ આનુ સમાધાન નથી પરંતુ તેને વધુ સારી રીતે લાગુ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે ત્રણ ભાષાનો સિદ્ધાંત 1960માં લાવવામાં આવ્યુ હતુ પરંતુ આને ક્યારેય પણ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યુ નથી. દક્ષિણ ભારતમાં આપણામાંથી મોટાભાગના લોકો બીજી ભાષા તરીકે હિંદી ભાષા શીખે છે પરંતુ ઉત્તર ભારતમાં કોઈ પણ મલયાલમ કે તમિલ ભાષા નથી શીખતુ. આ પહેલા શનિવારે તમિલનાડુના ઘણા વિસ્તારોએ પણ આ ફોર્મ્યુલાનો વિરોધ કર્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે હિંદી ભાષાને દક્ષિણ ભારતીયો પર થોપવામાં આવી રહ્યુ છે.

કમિટીએ આપ્યુ સૂચન
તમને જણાવી દઈએ કે ઈસરોના ચીફ ડૉક્ટરના કસ્તૂરીરંજનની અધ્યક્ષતાવાળી કમિટીએ એ વાતનુ સૂચન આપ્યુ હતુ કે હિંદી અને અંગ્રેજી ભાષાની સાથે કોઈ એક સ્થાનિક ભાષાને ભણાવવી જોઈએ. હિંદી ભાષી રાજ્યો માટે કમિટીએ હિંદી અંગ્રેજી સાથે કોઈ ત્રીજી ભાષાને ભણાવવાનું સૂચન કર્યુ છે. તમિલ ભાષાને ક્લાસિકલ ભાષાની શ્રેણીમાં રાખવામાં આવે. આ સમગ્ર વિવાદ પર શિક્ષણ મંત્રાલયે નિવેદન જાહેર કરીને સફાઈ આપી છે કે નવી શિક્ષણ નીતિ માત્ર એક ડ્રાફ્ટ છે આના અત્યારે અંતિમ રૂપ આપવામાં આવ્યુ નથી, અમે લોકોના આ વિશે સૂચન લેવામાં આવી રહ્યુ છે.

વરિષ્ઠ મંત્રીઓએ કર્યો બચાવ
વળી, આ સમગ્ર વિવાદમાં સરકારનો બચાવ કરવા માટે બે વરિષ્ઠ મંત્રી સામે આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરે સરકારનો આ વિવાદ પર બચાવ કર્યો છે. નિર્મલા સીતારમણે અને એસ જયશંકરે ટ્વીટર પર લગભગ એક જેવા જ મેસેજ કરીને લોકોનો ભરોસો અપાવ્યો છે કે આ નીતિને લાગુ કરતા પહેલા આની સમીક્ષા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બંને મંત્રીઓ તમિલનાડુથી આવે છે જ્યાં આ શિક્ષણ નીતિનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. બંને મંત્રીઓએ આ ટ્વીટ તમિલ ભાષામાં કર્યુ છે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ સરકારનો બચાવ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે તે આને વાંચે, આનુ વિશ્લેષણ કરે, ચર્ચા કરે, એમ જ આ વિશે કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
