ભારત-પાક. વચ્ચે ઉકેલાઇ શકે છે ઘણા મુદ્દા : શુશીલ કુમાર શિંદે

શિંદેએ પત્રકારોને જણાવ્યું કે જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા નવાઝ શરીફ બઢત બનાવી રહ્યા હતા, પ્રધાનમંત્રીએ તેમને શુભેચ્છા આપી અને શરીફે તેમને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રિત પણ કર્યા.
અમેરિકા યાત્રાનો એજન્ડા પૂછવા પર તેમણે કહ્યું કે અમેરિકાના ગૃહમંત્રીના આમંત્રણ પર તેઓ આવતા અઠવાડિયે ત્યાં જઇ રહ્યા છે. બેઠકમાં આંતરિક સુરક્ષા પર વાત કરવામાં આવશે. તેઓ અમેરિકન જેલોમાં આપવામાં આવતી સુવિધાઓનું નિરિક્ષણ કરવા માટે કોઇ જેલની મુલાકાત પણ કરી શકે છે.
એવું પૂછવા પર અમેરિકા યાત્રા દરમિયાન શું મુંબઇ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત દ્વારા પૂછપરછની પરવાનગી આપવાના મુદ્દાને ઉઠાવશે, શિંદેએ કહ્યું કે જ્યારે આપણે આ પ્રકારની વાતો કરીએ છીએ તો ચર્ચા દરમિયાન તેનો ઉલ્લેખ થઇ શકે છે. પંજાબના આતંકવાદી દવિન્દ્રપાલ સિંહ ભુલ્લરની મોતની સજા માફ કરવાની માંગ અંગે તેમણે કહ્યું કે તેમને આ સંબંધમાં ઘણા નિવેદન મળ્યા છે પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
મુસ્લિમ યુવકો સાથે જોડાયેલ આતંકી મામલાઓને ઝડપથી નિપટાવવાની માંગની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોમાંથી કહ્યું છે કે તે એવા મામલાઓનું ઝડપથી નિપટારો કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરે. મંત્રિમંડળની આગામી ફેરફારમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને કેન્દ્રમાં લાવવાના સમાચારો પર શિંદેએ કહ્યું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.












Click it and Unblock the Notifications
