શિરડી સાઈ મંદિરમાં 11 દિવસમાં આવ્યુ 14.54 કરોડ રૂપિયાનું દાન
નવા વર્ષમાં મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર પર ભક્તો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર 11 દિવસોમાં સાંઈબાબા પર 14.54 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો છે.
નવા વર્ષમાં મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર પર ભક્તો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર 11 દિવસોમાં સાંઈબાબા પર 14.54 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો છે. દુનિયાભરમાં જાણીતા સાંઈબાબા મંદિરને છેલ્લા 11 દિવસોમાં 14.54 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. ક્રિસમસ પહેલાથી શરૂ થઈને નવા વર્ષ સુધી 11 દિવસોમાં મંદિરને 14.54 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે.

શ્રી સાંઈબાબા ન્યાસના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે આની જાણકારી આપતા કહ્યુ કે આ દાન આપનારામાં દેશ ઉપરાંત વિદેશોના શ્રદ્ધાળુઓ પણ શામેલ છે. સાઈન બોર્ડના અધિકારીએ જણાવ્યુ કે 22 ડિસેમ્બર, 2018થી 1 જાન્યુઆરી 2019 વચ્ચે મંદિરના દાનપત્રોમાં 8.05 કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાતં દાન કાઉન્ટરો પર ઓનલાઈન દાન, ડેબિટ/ ક્રેડિટ કાર્ડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 6 કરોડનું દાન મળ્યુ.
રોકડ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ તરીકે પણ દાન મળ્યુ છે. દાનમાં લગભગ 19 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીની સામગ્રી દાનમાં મળી છે. સાંઈબાબાને લગભગ 507 ગ્રામ સોનુ અને 16.5 કિલો ચાંદીનું દાન આવ્યુ છે. આ દાન ઉપરાંત મંદિર ટ્રસ્ટને શ્રદ્ધાળુઓ આપેલા પેડ પાસ અને ઓનલાઈન દર્શન સુવિદાના માધ્યમથી 3.62 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. મંદિરને દાન આપનારામાં ભારત ઉપરાંત 19 દેશોના શ્રદ્ધાળુઓ શામેલ છે જેમાં અમેરિકા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, જાપાન અને ચીનના શ્રદ્ધાળુઓ શામેલ છે. મંદિરને દાનમાં લગભગ 30 લાખ 63 હજાર રૂપિયાની વિદેશી મુદ્રા મળી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
