મહારાષ્ટ્રમાં શિવસેનાનું ભાજપને અલ્ટિમેટમ
નવી દિલ્હી, 10 નવેમ્બર: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને શિવસેનાએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે. સરકારના મુદ્દા પર શિવસેનાએ કહ્યું કે, ભાજપ 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ કરે. શિવસેનાએ ભાજપ સમક્ષ ફરી એકવાર નવી શરત મુકી છે. પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇમાં પ્રેસ કોફ્રેંસમાં કહ્યું. ''જો ભાજપ એનસીપીનું સમર્થન લેશે તો શિવસેના વિપક્ષમાં બેસશે.''
મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે ભાજપનો ભગવો આતંકવાદ કહેતા હતા હવે ભાજપ તે જ શરદ પવારનું સમર્થન લઇ રહી છે. શિવસેના ભવનમાં પ્રેસ કોંફ્રેંસમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે ક્યારેય બોલાવ્યા વિના જશે નહી. જ્યાં માન નહી ત્યાં જવું નહી.
મુંબઇમાં સાંજે 5 વાગે બાંદ્રાના રંગશારદા હૉલમાં શિવસેનાની બેઠક થશે જ્યાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સરકારમાં સામેલ થવાના નિર્ણય પર પાર્ટીના નેતાઓ પાસે મતંવ્ય જાણશે.
મુંબઇમાં સાંજે 5 વાગે થનાર શિવસેનાની બેઠકમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઇને પણ ચર્ચા થશે. પગપેસારો કરી રહેલી ડેંગ્યૂની સારવારની રણનિતી પર પણ વિચાર થશે.