બીજેપીને પૂર્ણ બહુમત નહીં મળવા પર પ્રણવ દા બની શકે પીએમ ઉમેદવાર
હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુરમાં આરએસએસ કાર્યક્રમમાં જોડાયા તેના પર ઘણી રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.
હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ નાગપુરમાં આરએસએસ કાર્યક્રમમાં જોડાયા તેના પર ઘણી રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. જયારે ભાજપા સહયોગી શિવસેના ઘ્વારા પણ ભાજપ અને આરએસએસ પર હુમલા કરવામાં આવ્યા. શિવસેના નેતા સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને લાગે છે કે આરએસએસ પોતાને એવી પરિસ્થિતિ સામે લડવાના પ્રયાસ કરી રહી છે જયારે તેમને 110 સીટો ઓછી મળશે અને તેઓ પ્રણવ મુખરજીને પીએમ ઉમેદવાર જાહેર કરી શકે છે.
નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઘ્વારા દેશની સંસ્કૃતિ અને તેની ઓળખની વિશેષતા વિશે ઉલ્લેખ કર્યો અને તેના વિશે વાતો કરી.
પ્રણવ મુખરજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે ગુસ્સો વધી રહ્યો છે. રોજ હિંસા વિશે ખબરો આવી રહી છે. હિંસા અને ગુસ્સો છોડીને આપણે બધા શાંતિના રસ્તે ચાલીયે. વિવિધતા અને ટોલરેન્સમાં જ ભારત વસે છે. ફક્ત એક ધર્મ અને એક ભાષા જ ભારતની ઓળખ છે. પચાસ વર્ષમાં મેં આ શીખ્યું છે.
We feel RSS is preparing itself for a situation where it might put forth Pranab Mukherjee ji as PM name if BJP fails to get required numbers, in any case BJP will lose a minimum of 110 seats this time: Sanjay Raut,Shiv Sena pic.twitter.com/y36dsakELo
— ANI (@ANI) June 10, 2018
તેમને આગળ જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા ભારતને ખાસ બનાવે છે. હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા માટે આવ્યો છું. આપણી રાષ્ટ્રીય ઓળખ વિવિધતામાં એકતા છે. ભારતનો રાષ્ટ્રવાદ વસુદેવ કુટુમ્બકમ ઘ્વારા પ્રભાવિત છે.