For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલ ઠાકરેની તબિયત સ્થિર : ઉદ્ધવ ઠાકરે

|
Google Oneindia Gujarati News

bala-saheb-thackeray
મુંબઇ, 16 નવેમ્બર : શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ ગુરુવારે રાત્રે જણાવ્યું હતું કે તેમના પિતા અને પાર્ટી સુપ્રીમો બાલ ઠાકરેની તબિયત સ્થિર છે અને તેમના સ્વસ્થ થવાની આશા છોડી નથી. માતોશ્રીમાંથી બહાર આવીને ઉદ્ધવે શિવ સેના સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

ઉદ્ધવ ઠાકરે જ્યારે શિવ સેના સમર્થકો સમક્ષ આવ્યા ત્યારે તેમના દીકરા આદિત્ય ઠાકરે પણ તેમની સાથે હતા. ઉદ્ધવે જણાવ્યું હતું કે તમે બધા જ લોકો બાલા સાહેબ ઠાકરેના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છો. મને આપની પ્રાર્થનામાં પૂરો વિશ્વાસ છે. તેમને સ્વસ્થ બનાવવા માટે જેટલો ઉપચાર કરી શકાય છે તેટલો ઉપચાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે 86 વર્ષીય બાલા સાહેબ ઠાકરેની તબિયલ તથડતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમાચાર મળતા જ શિવ સેના સમર્થકો તેમના નિવાસ સ્થાન માતોશ્રીની બહાર એકઠા થવા લાગ્યા હતા. આ કારણે મુંબઇમાં હાઇ એલર્ટ જાહેર કરી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

English summary
Shiv Sena says Bal Thackeray is stable : Uddhav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X