મંત્રાલયને લઇને ભાજપથી શિવસેના નારાજ, અનંત ગીતેએ ના સંભાળ્યો કાર્યભાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે: સોમવારે સાંજ સુધી તો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ રાત થતાં જ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાનું મન ભગવા દળથી ઉખડી ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમના એક દિવસ બાદ જ વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે.

વિશ્વાસપાત્ર સૂત્રોની માનીએ તો ભાજપના સાથી પક્ષ શિવસસેના મંત્રિપરિષદમાં ઓછી બેઠક મળવાથી નારાજ થઇ ગઇ છે. પાર્ટીના કોટાથી માત્ર એક જ મંત્રી બનાવવામાં આવેલા ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રી અનંત ગીતેએ મંગળવારે બપોર સુધી મંત્રાલયનું કાર્યભાર સંભાળ્યું નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ગીતે ઓછા ભારણ વાળું મંત્રાલય મળવા પર નારાજ છે.

narendra modi
મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા મુંબઇથી દિલ્હી આવ્યા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં હાલમાં પણ ઉપસ્થિત છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એવું ઇચ્છી રહ્યા છે કે કોઇ સારુ મંત્રાલય તેમના ખાતામાં આવી જાય. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના એવું માનીને ચાલી રહી હતી કે તેને મંત્રીમંડળમાં ઓછામાં ઓછી 5 બેઠકો ચોક્કસ મળશે. ત્રણ કેબિનેટ અને 2 એમઓએસમાં.

કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાની નારાજગી દેશના ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે રાત્રે જ જતાવી દીધી હતી. અને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે હજી એક મંત્રાલય તેમની પાર્ટીના ખાતામાં આવી જાય. અત્રે નોંધનીય છે કે વાજપેઇ સરકાર દરમિયાન શિવસેનાના 2 કેબિનેટ મંત્રી હતા.

English summary
Shiv Sena unhappy over being given just a single cabinet berth. Anant Geete refuses to take charge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X