Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિવ સેનાની ત્રાડ : મહારાષ્ટ્ર દુષ્કાળ રાહત માટે IPL 500 કરોડ આપે

shiv-sena-logo
મુંબઇ, 19 માર્ચ : દેશમાં લોકહિત માટે કંઇ પણ કરવા માટે જાણીતી મહારાષ્ટ્રની શિવ સેના પાર્ટીએ પોતાની ઝપટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની ટીમોને લીધી છે. શિવ સેનાએ આઇપીએલ ટીમના માલિકો પાસે માંગણી કરી છે કે તેઓ ભેગા મળીને મહારાષ્ટ્રના દુષ્કાળ સામે રાહત પેટે રૂપિયા 500 કરોડનો ફાળો આપે.

શિવ સેના તરફથી આ માંગણી પક્ષના સાંસદ સંજય રાઉતે કરી છે. તેમણે જણાવ્યું છે કે આઇપીએલની ટીમના માલિકો અત્યંત ધનિકો છે. તેઓ ઉદ્યોગપતિઓ છે અને બોલીવુડના કલાકારો છે. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી આઇપીએલની મેચોમાંથી આટલી રકમ રાહત માટે ફાળવવી તેમના માટે કોઇ મુશ્કેલ કામ નથી. તેઓ સરળતાથી આટલી રકમ એકઠી કરી શકે એમ છે.

રાઉતે વધુમાં જણાવ્યું કે "મહારાષ્ટ્ર રાજ્ય અત્યંત ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. તેને તાત્કાલિક રાહત ભંડોળની જરૂર છે. જ્યોરે આઇપીએલના માલિકો રમતમાંથી આવક મેળવે ત્યારે તેમાંથી ઓછામાં ઓછા રૂપિયા 500 કરોડ દુષ્કાળ રાહત પેચે આપે. આ ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે વ્યાવસાયિક છે. આ કોઇ ચેરિટી ઇવેન્ટ નથી. આ કારણે આઇપીએલ ટીમના માલિકોએ આ રાજ્ય પ્રત્યેની પોતાની વફાદારી દાખવવી જોઇએ."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X