શિવ સેનાની ત્રાડ : મહારાષ્ટ્ર દુષ્કાળ રાહત માટે IPL 500 કરોડ આપે

શિવ સેના તરફથી આ માંગણી પક્ષના સાંસદ સંજય રાઉતે કરી છે. તેમણે જણાવ્યું છે કે આઇપીએલની ટીમના માલિકો અત્યંત ધનિકો છે. તેઓ ઉદ્યોગપતિઓ છે અને બોલીવુડના કલાકારો છે. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી આઇપીએલની મેચોમાંથી આટલી રકમ રાહત માટે ફાળવવી તેમના માટે કોઇ મુશ્કેલ કામ નથી. તેઓ સરળતાથી આટલી રકમ એકઠી કરી શકે એમ છે.
રાઉતે વધુમાં જણાવ્યું કે "મહારાષ્ટ્ર રાજ્ય અત્યંત ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. તેને તાત્કાલિક રાહત ભંડોળની જરૂર છે. જ્યોરે આઇપીએલના માલિકો રમતમાંથી આવક મેળવે ત્યારે તેમાંથી ઓછામાં ઓછા રૂપિયા 500 કરોડ દુષ્કાળ રાહત પેચે આપે. આ ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે વ્યાવસાયિક છે. આ કોઇ ચેરિટી ઇવેન્ટ નથી. આ કારણે આઇપીએલ ટીમના માલિકોએ આ રાજ્ય પ્રત્યેની પોતાની વફાદારી દાખવવી જોઇએ."












Click it and Unblock the Notifications
