દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં શામેલ થશે શિવસેના, મંત્રીમંડળમાં 2:1 નો ફોર્મૂલા!
મુંબઇ, 1 નવેમ્બર: મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સરકારમાં સામેલ થશે. હવે એ ફાઇનલ દેખાય છે. બંને પક્ષોની વચ્ચે મંત્રીમંડળને લઇને માથાકૂટ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના-ભાજપની વચ્ચે મંત્રીમંડળને લઇને સહમતિ બની ગઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં કુલ 32 મંત્રી હશે, 20 ભાજપમાંથી, 10 શિવસેનામાંથી 10 હશે. શિવસેનાના 5 કેબિનેટ અને 5 રાજ્યમંત્રી રહેશે. રાષ્ટ્રીય સમાજ પક્ષને વધુ એક સ્વાભિમાની સંગઠનને એક મંત્રી પદ મળશે. સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે શિવસેના ડેપ્યુટી સીએમનું પદ ઇચ્છે છે.
મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના શપથગ્રહણ સમારોહમાં અમિત શાહના ફોન કર્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ તો થઇ ગયા પરંતુ તે ઇચ્છે છે કે કે ભાજપ દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિશ્વાસ મત પહેલાં ગઠબંધન પર નિર્ણય કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે પાર્ટીને વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે, જો કે 15 નવેમ્બરના રોજ ખતમ થઇ રહ્યો છે.