રામાયણના અન્ય પાત્રો પણ પોતાનુ જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખેઃ શિવસેનાનો કટાક્ષ
છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ અંગે તમામ નેતાઓ નિવેદન આપી રહ્યા છે તે બાદ શિવસેનાએ કટાક્ષ કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ અંગે તમામ નેતાઓ નિવેદન આપી રહ્યા છે તે બાદ શિવસેનાએ કટાક્ષ કર્યો છે. શિવસેનાએ કટાક્ષ કરતા કહ્યુ કે રામાયણના અન્ય પાત્રોએ પણ પોતાનું જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખવુ જોઈએ. આ સમગ્ર ચર્ચાને કારણવિનાની અને નિરાધાર ગણાવીને શિવસેનાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં નવી રામાયણ લખવાની કોશિશ કરવામાં આવી હતી, ભગવાન હનુમાનની જાતિ બતાવવામાં આવી હતી. આ પ્રકારની તુલના કુંઠિત માનસિકતા દર્શાવે છે.

હજુ મંદિર નિર્માણ થવાનુ છે
શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ છપાયો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે હજુ રામ મંદિરનું નિર્માણ થવાનુ છે પરંતુ ભાજપની અંદર ભગવાનની જાતિ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. છેવટે ભગવાન હનુમાનના ધર્મ અને જાતિ પર ચર્ચાનો અર્થ શું છે. મહત્વની વાત એ છે કે હાલમાં જ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચારના સમયે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે ભગવાન હનુમાન દલિત હતા, ત્યારબાદ ઘણા લોકો સામે આવ્યા અને તેમણે ભગવાન હનુમાનને પોતાની જાતિના હોવાનો દાવો કર્યો.

મંત્રીએ અધિકૃત રીતે ભગવાન હનુમાનની બતાવી જાતિ
સામનામાં લખવામાં આવ્યુ છે કે યોગી આદિત્યનાથ બાદ ધારાસભ્ય બુક્કલ નવાબે કહ્યુ કે હનુમાન મુસલમાન છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ શોધવો મૂર્ખામી છે. એટલુ જ નહિ યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ વિધાનસભાની અંદર અધિકૃત રીતે કહ્યુ છે કે ભગવાન હનુમાન જાટ હતા. વળી, આચાર્ય નિર્ભય સાગર મહારાજે દાવો કર્યો છે કે જૈન ધર્મના પવિત્ર પુસ્તકો અનુસાર ભગવાન હનુમાન જૈન છે.

ભગવાન હનુમાનની મજાક
શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં નવી રામાયણ લખવાની કોશિશ ચાલી રહી છે અને રામાયણના તમામ પાત્રોનું જાતિ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યુ છે. અયોધ્યામાં હજુ પણ રામ મંદિર નિર્માણ થવાનું છે પરંતુ આ લોકો ભગવાનના ભક્તોની જાતિ શોધવામાં લાગેલા છે. આ રીતે આ લોકો ભગવાન હનુમાનની મજાક ઉડાવી રહ્યા છે પરંતુ જે લોકો પોતાને હિંદુ ધર્મના રક્ષક ગણાવી રહ્યા છે તે હજુ ચૂપ છે. જો આ કોઈ મુસ્લિમ નેતાએ કહ્યુ હોત અત્યાર સુધીમાં ઘણો હોબાળો થઈ ગયો હોત.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
